ભારત બનશે વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર, દિલ્હીમાં BRICS મંત્રીઓનો જમાવડો



ભારત બનશે વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર, દિલ્હીમાં BRICS મંત્રીઓનો જમાવડો



BRICS Sammelan: ભારત 14 અને 15 મેના દિવસે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મોટી બેઠકની યજમાની કરશે. આ બેઠક નવી દિલ્હીમાં થશે અને તેની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ. જયશંકર કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યુ હતુ કે, બ્રિક્સ દેશો અને સહયોગી દેશોના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે. તમામ પ્રતિનિધિમંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદ સાથે પણ મુલાકાત કરશે.
ભારત આ વર્ષે બ્રિક્સ સમૂહની અધ્યક્ષતા કરવાનો છે. આ વખતે ભારતે ‘મજબૂતી, નવાચાર, સહયોગ અને ટકાઉ વિકાસ’ને મુખ્ય વિષય બનાવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દેશો વચ્ચે સારો તાલમેલ અને સહયોગીતા વધારવાનો છે. બેઠકમાં દુનિયા અને ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો અને બહુપક્ષીય વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે.
આ આયોજન ભારત મંડપમમાં કરવામાં આવશે. વિદેશ મંત્રાલય પ્રમાણે, કેટલાક દેશોના મંત્રી દિલ્હી પહોંચવા લાગ્યા છે. રશિયાએ પુષ્ટિ કરી છે કે, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ આ બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવશે. બ્રિક્સ સમૂહમાં હવે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સાથે સાથે ઇરાન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત પણ નવા સભ્યો તરીકે સામેલ થયા છે. આ બેઠક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે, તેને કારણે વૈશ્વિક સ્તરે ભૂમિકા અને પ્રભાવ મજબૂત થશે.




