ભાજપના પ્રદેશ અધ્યક્ષે પૂર્ણ કરી ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા, જનગણના 2027 માટે લોકોને કરી મહત્વપૂર્ણ અપીલ



ભાજપના પ્રદેશ અધ્યક્ષે પૂર્ણ કરી ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા, જનગણના 2027 માટે લોકોને કરી મહત્વપૂર્ણ અપીલ



અમદાવાદ:જનગણના 2027 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma એ આજે ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો સબમિટ કરીને ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પ્રક્રિયા તેમણે સત્તાવાર પોર્ટલ http://se.census.gov.in મારફતે પૂર્ણ કરી હતી.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષે નાગરિકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ આ રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લઈને સમયસર પોતાની વિગતો ઓનલાઈન સબમિટ કરે. તેમણે જણાવ્યું કે જનગણના જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયા દેશના વિકાસ આયોજન માટે આધારરૂપ બને છે અને તેમાં દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે.
તેમણે ખાસ કરીને લોકો પાસે પોર્ટલ પર જઈને સ્વ-ગણતરી કરવાની અને પ્રક્રિયાને સરળ બનાવવા સરકારના આ ડિજિટલ પ્રયાસને સફળ બનાવવા સહયોગ આપવાની અપીલ કરી.
પ્રદેશ અધ્યક્ષના આ પગલાને પાર્ટી સંગઠન અને કાર્યકરોમાં પણ સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં ડિજિટલ ઇન્ડિયા અને પારદર્શક પ્રશાસનના સંકલ્પને વધુ મજબૂતી મળે છે.




