Get News Alerts

Never miss breaking news updates.

લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઇનો, માત્ર 2 થેલી આપતા ખેડૂતો ત્રાહિમામ

અમરેલીઃ જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઇનો લાગી છે. વહેલી સવારથી જ ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે લાઇનો લગાવી છે.
Admin
AdminUpdated on: 15 May 2026 10:31 PM IST
લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઇનો, માત્ર 2 થેલી આપતા ખેડૂતો ત્રાહિમામલાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઇનો, માત્ર 2 થેલી આપતા ખેડૂતો ત્રાહિમામ

અમરેલીઃ જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતર માટે લાઇનો લાગી છે. વહેલી સવારથી જ ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે લાઇનો લગાવી છે.

વહેલી સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતોને માત્ર 2  થેલી જ યુરિયા ખાતર આપવામાં આવે છે. 15-20 વીઘા ખેતર ધરાવતા હોવા છતાં માત્ર 2 થેલી ખાતર આપવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પૂરતું ખાતર ન મળી રહેતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ખાતરની અછતને કારણે ખેતી પર અસર થાય છે અને તેને લઈને ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે હૈયાવરાળ ઠાલવી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.