Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ સિવિલના પ્રોફેસર શેરબજારના નામે 70 લાખની છેતરપિંડીના ભોગ

અમદાવાદના સિવિલના પ્રોફેસર શેરબજારની રોકાણ કરવાની લાભામણી લાલચમાં આવીને 70 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. પરંતુ સમયસર પૈસા પાછાના આવતા તેમને સાઈબર ફોડ થયો હોય તેવુ લાગ્યુ હતુ. જેના કારણે તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 30 Mar 2026 04:03 PM IST
અમદાવાદ સિવિલના પ્રોફેસર શેરબજારના નામે 70 લાખની છેતરપિંડીના ભોગઅમદાવાદ સિવિલના પ્રોફેસર શેરબજારના નામે 70 લાખની છેતરપિંડીના ભોગ

AI Image

અમદાવાદ સિવિલના પ્રોફેસર શેરબજારના નામે 70 લાખની છેતરપિંડીના ભોગ

અમદાવાદ: શહેરના સિવિલ હોસ્પિટલના પ્રોફેસર સાથે શેરબજારમાં રોકાણ કરવાનો લોભામણો લાલચમાં ફસાવ્યો અને 70 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ. પ્રોફેસરે આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

દિવસે દિવસે સોશિયલ મિડિયા દ્વારા લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે લોભામણી જાહેરાતોમાં આવી જતા હોય છે. અને સમય જતા તેમને પસ્તાવાનો વારો આવ્યો છે. બસ આવો એક બનાવ અમદાવાદના સિવિલ હોસ્પિટલના પ્રોફેસર જોડે બન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રોફેસરને સોશિયલ મિડિયા મારફતે મેસેજ આવ્યો હતો, જેમાં તેમને શેરબજારમાં રોકાણ કરવાની તક આપી હતી. પ્રારંભમાં, પ્રોફેસરને નાનાં રકમ પર જ નફો મળી ગયો હતો, જેના કારણે તેમના મનમાં રોકાણ માટે વિશ્વાસ બેસી ગયો.

પ્રોફેસરે આગળ વધીને કુલ 70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ થોડા સમય પછી જ્યારે તેમણે મૂળ રકમ અને નફા પરત માંગ્યો, ત્યારે ઠગોએ તેમને ટેકનિકલ એરરની દલીલ કરી. સમય પસાર થતા તેમની મૂળ રકમ અને નફા પરત ન આવ્યા અને પ્રોફેસરને સમજાયા કે તેઓ છેતરપિંડીના ભોગ બની ગયા છે.

આ બનાવ અમદાવાદમાં દિવસે દિવસે વધતા સાઈબર ક્રાઈમનું ઉદાહરણ છે. હવે પ્રોફેસરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.