Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં લગ્નના એક જ વર્ષમાં નવપરિણીત દંપતીએ જીવન ટૂંકાવ્યું.

સુરતમાં પતિ અને પત્ની ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતુ જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પતિ પત્ની એક વર્ષ પહેલા જ સમાજ રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. જ્યારે પતિ પત્ની મૃતદેહ જોડેથી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ મળી આવી નહતી. પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા પ્રકારની પગલુ કેમ ભર્યુ તેની તપાસ થઈ જોઈએ.
Admin
AdminUpdated on: 06 Apr 2026 01:29 PM IST
સુરતમાં લગ્નના એક જ વર્ષમાં નવપરિણીત દંપતીએ જીવન ટૂંકાવ્યું.સુરતમાં લગ્નના એક જ વર્ષમાં નવપરિણીત દંપતીએ જીવન ટૂંકાવ્યું.

સુરત: સુરતમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં એક ચોકવનારો બનાવો સામે આવ્યો છે. રાજપૂત ફળિયામાં રહેતા 24 વર્ષના ભાવેશ ચુડાસમા અને 23 વર્ષની તેજલ ચુડાસમાં અગમ્ય કારણોસર પોતાના જ ધરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ નવપરિણીત દંપતીના લગ્ન એક વર્ષ પહેલા સમાજના રીતિ રિવાજ પ્રમાણે ધામધૂમથી થયા હતા. આ બંન્ને દંપતિએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

પોલીસન પાસેથી માહિતી આપતા કહ્યુ કે આ ઘટના  પત્ની તેજલબેન રૂમમાં કપડા ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂફ સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં રીસિલંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી બાંધીની જીવન ટૂંકાવ્યુ હતુ. એક જ સમયે બંન્ને લાશ લટકતી જોતા મળી હતી આ વાતની જાણ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.

વધુ જાણકારી મુજબ પરિવાર કે પડોશીઓ પુછપરછ કરતા જણાવવા મળ્યુ કે બંન્ને વચ્ચો કોઈપણ મોટા પ્રકારનો ઝઘડો જોવા મળ્યો નહતો. જ્યારે બંન્ને મૃતદેહ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી આવી નથી. જેથી મૃતકના પરિવારે માગ કરી છે કે પતિ પત્ની કેમ આવા પ્રકારનું પગલુ ભર્યુ તેની તપાસ થવી જોઈએ.

પોલીસે બંન્ને પતિ પત્નીનું મૃતદેહ પીએમ ખાતે લઈ જવામાં આવ્યુ છે. પોલીસે આ બનાવ અકસ્માત મોત ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંન્નેના મોબાઈલ ફોન કબજે કર્યા છે. જેમાંથી તેમને આત્મહત્યા કરતા પહેલા કોઈને ફોન કર્યો છે કે નહીં તેની તપાસ હાલ કરી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.