Get News Alerts

Never miss breaking news updates.

₹139 કરોડના કૃષિ તસ્કરી કૌભાંડનો ભંડાફોડ: ન્હાવા શેવા પોર્ટ પર 132 કન્ટેનર ઝડપાયા, અમદાવાદનો વેપારી ધરપકડમાં

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ન્હાવા શેવા પોર્ટ પર મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત કૃષિ માલની તસ્કરીના કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે 132 કન્ટેનર રોકી તપાસ કરતા અંદાજે 3,029 મેટ્રિક ટન માલ ઝડપ્યો હતો, જેને ‘તુવેર દાળ’ તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Apr 2026 04:36 PM IST
₹139 કરોડના કૃષિ તસ્કરી કૌભાંડનો ભંડાફોડ: ન્હાવા શેવા પોર્ટ પર 132 કન્ટેનર ઝડપાયા, અમદાવાદનો વેપારી ધરપકડમાં₹139 કરોડના કૃષિ તસ્કરી કૌભાંડનો ભંડાફોડ: ન્હાવા શેવા પોર્ટ પર 132 કન્ટેનર ઝડપાયા, અમદાવાદનો વેપારી ધરપકડમાં

ફાઈલ ફોટો

મુંબઈ/અમદાવાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ન્હાવા શેવા પોર્ટ પર મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત કૃષિ માલની તસ્કરીના કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે 132 કન્ટેનર રોકી તપાસ કરતા અંદાજે 3,029 મેટ્રિક ટન માલ ઝડપ્યો હતો, જેને ‘તુવેર દાળ’ તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો હતો.

વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં વાસ્તવમાં તાન્ઝાનિયા અને સુદાનથી આયાત કરાયેલા 2,710 મેટ્રિક ટન તરબૂચના બીજ તથા કેનેડાથી આયાત કરાયેલા 319 મેટ્રિક ટન લીલા વટાણા હતા. ઝડપાયેલા માલની કુલ કિંમત અંદાજે ₹139 કરોડ છે.

આ મામલે અમદાવાદ સ્થિત આયાતકારના માલિકને 19 એપ્રિલે ધરપકડ કરવામાં આવી છે. તે સમગ્ર ગોઠવાયેલ તસ્કરી રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ આયાતકાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં તરબૂચના બીજની સપ્લાય પણ કરતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી આયાત પ્રતિબંધોથી બચવા માટે માલને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો હતો. જૂન 2024થી તરબૂચના બીજની આયાત પર પ્રતિબંધ લાગુ છે. જ્યારે લીલા વટાણાની આયાત માટે પ્રતિ કિલો ₹200 ની ન્યૂનતમ આયાત કિંમત ફરજિયાત છે અને તે માત્ર કોલકાતા બંદર મારફતે જ મંજૂર છે. DRIએ જણાવ્યું છે કે પ્રતિબંધિત અને નિયંત્રિત માલની તસ્કરી સામે આવી પ્રકારની કાર્યવાહી આગળ પણ વધુ કડક રીતે ચાલુ રહેશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.