પ્રકાશ પાદૂકોણે જમાઈ રણવીર સિંહની 'ધુરંધર’ની કરી પ્રશંસા, કહ્યું – વધુ હિંસા છતાં દર્શકોને ફિલ્મ ગમી



પ્રકાશ પાદૂકોણે જમાઈ રણવીર સિંહની 'ધુરંધર’ની કરી પ્રશંસા, કહ્યું – વધુ હિંસા છતાં દર્શકોને ફિલ્મ ગમી



પૂર્વ બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પાદુકોને પોતાના જમાઈ રણવીર સિંહની ફિલ્મ ધુરંધર અંગે ખુલ્લેઆમ પ્રશંસા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં હિંસાના દ્રશ્યો થોડા વધુ હોવા છતાં દર્શકોને તે ખૂબ પસંદ આવી છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે.
એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રકાશ પાદુકોણે કહ્યું કે 'ધુરંધર' એક ઉત્તમ રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે. તેમના મુજબ ફિલ્મની રજૂઆત, દિગ્દર્શન અને કલાકારોની અભિનય ક્ષમતા વખાણવા લાયક છે. તેમણે કહ્યું, 'અમને લાગ્યું હતું કે ફિલ્મમાં હિંસા થોડું વધુ છે, પરંતુ મોટા ભાગના દર્શકોને તે ગમી છે. અંતે સૌથી મહત્વની વાત એ છે કે લોકો ફિલ્મને કેવી રીતે સ્વીકારે છે.'
ફિલ્મ અંગે વાત કરતાં તેમણે રણવીર સિંહના કામની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે પોતાના પાત્રને અસરકારક રીતે જીવંત બનાવ્યું છે. પ્રકાશ પાડુકોણે માને છે કે દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ ફિલ્મની સફળતાનું સૌથી મોટું માપદંડ છે.
આ ઉપરાંત તેમણે રણવીર સિંહ સાથેના પોતાના વ્યક્તિગત સંબંધો અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે બંને પરિવારો વચ્ચે ખૂબ સારો સંબંધ છે અને તેઓ ઘણી વખત સાથે સમય પસાર કરે છે. પરિવારની વાર્ષિક રજાઓ દરમિયાન પણ સૌ સાથે મળીને સમય વિતાવે છે.
પ્રકાશ પાદુકોણે જણાવ્યું કે રમતગમત બંને વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય રહે છે. રણવીર સિંહને સ્પોર્ટ્સમાં ખાસ રસ છે અને તેઓ વારંવાર વિવિધ રમતો વિશે ચર્ચા કરે છે. બીજી તરફ, પ્રકાશ પાદુકોણે ફિલ્મ ઉદ્યોગ વિશે વધુ જાણવા માટે રણવીર સાથે ફિલ્મોની ચર્ચા કરતા રહે છે.
તેમણે હળવી મજાકમાં જણાવ્યું કે રણવીર આર્સનેલના સમર્થક છે, જ્યારે તેમની પુત્રી અનિશા મેનચેસ્ટર યુનાઈટેડની ચાહક છે. આ પ્રકારના કોમન ઇન્ટરેસ્ટ્સ તેમના પરિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.




