Get News Alerts

Never miss breaking news updates.

Nepal flash flood : નેપાળમાં કુદરતનો કહેર, ભયાનક પૂરથી અત્યાર સુધી 392ના મોત, 1468 લોકો લાપતા

Nepal flash flood : નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂર અને મલબા પ્રવાહે ભારે તબાહી સર્જી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Aug 2026 07:39 AM IST
Nepal flash flood : નેપાળમાં કુદરતનો કહેર, ભયાનક પૂરથી અત્યાર સુધી 392ના મોત, 1468 લોકો લાપતાNepal flash flood : નેપાળમાં કુદરતનો કહેર, ભયાનક પૂરથી અત્યાર સુધી 392ના મોત, 1468 લોકો લાપતા

Nepal flash flood

Nepal flash flood : કુદરતી આફત બાદ મૃત્યુઆંક વધીને 392 સુધી પહોંચી ગયો છે, જ્યારે સરહદની બંને તરફ કુલ 1468 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. વિનાશના કારણે અનેક ગામો, રસ્તાઓ, પુલો, મકાનો અને વાહનો પાણી અને કાટમાળમાં તણાઈ ગયા છે. બચાવકર્મીઓ દ્વારા હજુ પણ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નેપાળ-તિબેટમાં કુદરતી આફતનો કહેર

નેપાળમાં પૂરથી 389 લોકોનાં મોત થયા છે, જ્યારે પાડોશી તિબેટમાં ત્રણ લોકોનાં મોત થયા છે. નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હેલિકોપ્ટર અને જમીની માર્ગે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

જોકે, રસ્તાઓ અને પુલોને થયેલા ભારે નુકસાનને કારણે અનેક અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. નેપાળમાં 910 લોકો લાપતા હોવાનું જણાવાયું છે, જ્યારે તિબેટમાં 558 લોકો હજુ સુધી મળી આવ્યા નથી. કાદવ અને કાટમાળથી ભરાયેલા નદી વિસ્તારોમાં બચાવદળો લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ પોતાના પરિવારજનોની શોધમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

નેપાળમાં આફતનું તાંડવ

આ કુદરતી આફત પાછળ હિમનદ તૂટવા અને તેના કારણે પાણી, કાદવ અને કાટમાળના તેજ પ્રવાહને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં અચાનક આવેલા પાણીના પ્રવાહે ભારે વિનાશ સર્જ્યો હતો. જળવિદ્યુત પરિયોજનાઓ અને અન્ય મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે.

દરમિયાન, ભોટેકોશી નદી તંત્રના ઉદ્ગમ વિસ્તાર નજીક નવી કુદરતી અવરોધક ઝીલ બનતા ચિંતા વધુ વધી છે. આ ઝીલમાં મોટી માત્રામાં પાણી એકઠું થઈ રહ્યું છે. જો કુદરતી અવરોધ તૂટે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનો ખતરો સર્જાઈ શકે છે. સત્તાવાળાઓએ લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

નેપાળમાં વિનાશક પૂર બાદ બીજી આફતનો ભય

આફતમાં 290 ભારતીય નાગરિકોનો પણ સંપર્ક થઈ શક્યો નથી. ભારતે પોતાના નાગરિકોને શોધવા અને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો તેજ કર્યા છે. અત્યાર સુધીમાં 84 ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા છે. તેમાં જળવિદ્યુત પ્રોજેક્ટમાં કામ કરતા 63 કામદારો અને તમિલનાડુના 21 લોકોનો સમાવેશ થાય છે.

ભારતે નેપાળ માટે રાહત સહાય પણ વધારી છે અને માનવતાવાદી સહાય, દવાઓ તથા ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. બીજી તરફ નેપાળમાં સુરક્ષા દળો, હેલિકોપ્ટર, ડ્રોન અને જમીની ટીમો દ્વારા લાપતા લોકોની શોધ અને અસરગ્રસ્તોને બચાવવાની કામગીરી સતત ચાલી રહી છે. આ વિનાશક આફત વચ્ચે નેપાળ માટે સૌથી મોટો પડકાર હજુ પણ લાપતા લોકોને શોધવાનો અને સંભવિત નવા પૂરથી નીચાણવાળા વિસ્તારોને બચાવવાનો છે.

આ પણ વાંચો : Raksha Bandhan 2026 Vadodara : અનોખી ઈકો ફ્રેન્ડલી રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ વૃક્ષો અને જળસ્ત્રોતોને બાંધી રાખડી

View post on Instagram
AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.