Get News Alerts

Never miss breaking news updates.

Madhya Pradesh: ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે

Madhya Pradesh: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે રાજ્યના મહત્વપૂર્ણ તીર્થસ્થળોનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 31 Aug 2026 01:26 PM IST
Madhya Pradesh: ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી રોજગારીની નવી તકોનું સર્જન થશેMadhya Pradesh: ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે

Madhya Pradesh

Madhya Pradesh: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે રાજ્યના મહત્વપૂર્ણ તીર્થસ્થળોનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે. સોમવારે મુખ્યમંત્રી મોહન યાદવે ઓરછા સ્થિત ઐતિહાસિક અને આસ્થાના મહત્વપૂર્ણ કેન્દ્ર શ્રી રામ રાજા લોક ખાતે ચાલી રહેલા નિર્માણકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

શ્રી રામ રાજા લોકના કામની સમીક્ષા

મુખ્યમંત્રી મોહન યાદવે નિર્માણકાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે તમામ કામ ગુણવત્તા જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ધાર્મિક પ્રવાસનથી રોજગારી વધશે

પત્રકારો સાથે વાતચીત દરમિયાન CM મોહન યાદવે જણાવ્યું કે મધ્યપ્રદેશને પ્રવાસનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્ય તીર્થસ્થળોનો વિકાસ કરીને ધાર્મિક પ્રવાસનને વેગ આપવામાં આવશે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે વેપાર, હોટેલ, પરિવહન, માર્ગદર્શક અને અન્ય સેવાઓમાં રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે.

ઉજ્જૈનના મહાકાલ લોકનો આપ્યો ઉલ્લેખ

મુખ્યમંત્રીએ ઉજ્જૈનના શ્રી મહાકાલ મહાલોકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેના નિર્માણ બાદ ઉજ્જૈનની અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ જ પ્રકારના સર્વાંગી વિકાસ પર રાજ્યના અન્ય મહત્વપૂર્ણ તીર્થસ્થળો માટે પણ ધ્યાન આપવામાં આવશે.

ઓરછાની ઐતિહાસિક વિરાસતને જાળવવાનો પ્રયાસ

મોહન યાદવે જણાવ્યું કે ઓરછાનું રાજા રામ મંદિર રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર છે. અહીંની સ્થાપત્ય કળા પણ અનોખી છે. ઓરછાના જૂના માળખા અને ઐતિહાસિક ઇમારતોને જીવંત રાખવા માટે સરકાર દ્વારા વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જૂની સામગ્રીથી પુનઃનિર્માણ

મુખ્યમંત્રીએ કહ્યું કે ઐતિહાસિક માળખાના પુનઃનિર્માણમાં શક્ય હોય ત્યાં સુધી અગાઉ ઉપયોગમાં લેવાયેલી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે, જેથી તેનો મૂળ સ્વરૂપ અને વારસો જળવાઈ રહે. આ કામ માટે કુશળ કારીગરોની મદદ લેવામાં આવી રહી છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સાથે જોડવાનો પ્રયાસ

મોહન યાદવે જણાવ્યું કે ભગવાન શ્રીરામે પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન 12 વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યા હતા. રાજ્યની ગૌરવશાળી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સાથે જોડવી અને તેનું સંરક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી રામ રાજા લોક ભવિષ્યમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ તીર્થસ્થળ તરીકે વિકસશે અને ઓરછાને ધાર્મિક પ્રવાસનના નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે.

આ પણ વાંચો : Vibrant Gujarat 2027: દિલ્હીમાં કર્ટન રેઝર, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગજગત સાથે કરશે વન-ટુ-વન બેઠક

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.