Get News Alerts

Never miss breaking news updates.

India-Pakistan Navy Ship Collision: ભારતે સમુદ્રમાં યુદ્ધ જહાજ અથડાવાના પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા

India-Pakistan Navy Ship Collision: વિદેશ મંત્રાલયે PNS હુનૈન અને INS કોલકાતા વચ્ચે અથડામણના પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા.
Nancy ShuklaUpdated on: 18 Sep 2026 07:00 PM IST
India-Pakistan Navy Ship Collision: ભારતે સમુદ્રમાં યુદ્ધ જહાજ અથડાવાના પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યાIndia-Pakistan Navy Ship Collision: ભારતે સમુદ્રમાં યુદ્ધ જહાજ અથડાવાના પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા

India-Pakistan Navy Ship Collision

India-Pakistan Navy Ship Collision: 15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના યુદ્ધ જહાજ PNS હુનૈન ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS કોલકાતા સાથે અથડાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાની જહાજ ખૂબ જ ઝડપે ભારતીય જહાજની નજીક પહોંચ્યું. આ ઘટના ઓમાનથી આશરે 220 કિલોમીટર પૂર્વમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં બની હતી, જ્યાં INS કોલકાતા નિયમિત દેખરેખ મિશન પર હતું.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતના વિરોધ પ્રત્યે પાકિસ્તાનના પ્રતિભાવને ફગાવી દીધો, અને કહ્યું કે વિરોધ પ્રત્યે પાકિસ્તાનનો પ્રતિભાવ અનુમાનિત રીતે ટાળી શકાય તેવો હતો. તેમને વધુમાં કહ્યું કે ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો અને સંકેતને નકારે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે INS કોલકાતા પશ્ચિમ અરબી સમુદ્રમાં નિયમિત તૈનાતી પર હતું, ત્યારે પાકિસ્તાની નૌકાદળના જહાજ હુનૈને સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તન કર્યું, જેના પરિણામે બંને જહાજો વચ્ચે ટક્કર થઈ.

આ નિયમોનું ઉલ્લંઘન

તેમને જણાવ્યું હતું કે PNS હુનૈનનો ખતરનાક ઓવરટેકિંગનો પ્રયાસ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલ 1991માં થયેલા લશ્કરી કવાયતો, દાવપેચ અને સૈનિકોની હિલચાલ માટે અગાઉથી સૂચના પરના કરારની કલમ 10નું ગંભીર ઉલ્લંઘન હતું. આ જોગવાઈ મુજબ નૌકાદળના એકમોએ દરિયામાં એકબીજાથી 3 નોટિકલ માઈલની અંદર ન આવવું જોઈએ. વધુમાં પાકિસ્તાની જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ અથડામણ નિવારણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

કોઈ મોટું નુકસાન થયું નથી

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ફરી એકવાર સલાહ આપવામાં આવી છે કે તેના તમામ નૌકાદળના જહાજોએ દરિયામાં સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે લાગુ સંબંધિત કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ INS કોલકાતાને આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી અને ભારતીય નૌકાદળનું જહાજ દરિયામાં તેની તૈનાત પર છે.

આ પણ વાંચો: Russiaમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને મળ્યા આર્મી ચીફ ધીરજ સેઠ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.