Get News Alerts

Never miss breaking news updates.

Raksha Bandhan 2026 : કેન્દ્રીય જળમંત્રીએ સુરતમાં કરી રક્ષાબંધનની ઉજવણી, નેપાળની ઘટના ઈતિહાસમાં ભયાવહ તરીકે યાદ રહેશે : C.R.Patil

Raksha Bandhan 2026 Surat : સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Aug 2026 11:02 AM IST
Raksha Bandhan 2026 : કેન્દ્રીય જળમંત્રીએ સુરતમાં કરી રક્ષાબંધનની ઉજવણી, નેપાળની ઘટના ઈતિહાસમાં ભયાવહ તરીકે યાદ રહેશે : C.R.PatilRaksha Bandhan 2026 : કેન્દ્રીય જળમંત્રીએ સુરતમાં કરી રક્ષાબંધનની ઉજવણી, નેપાળની ઘટના ઈતિહાસમાં ભયાવહ તરીકે યાદ રહેશે : C.R.Patil

Raksha Bandhan 2026

Raksha Bandhan 2026 Surat : આ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમની બહેને તેમને રક્ષા રૂપી રાખડી બાંધી હતી અને પરિવારજનોએ પણ સાથે મળીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રક્ષાબંધનના પર્વ દરમિયાન સી.આર. પાટીલે નેપાળમાં સર્જાયેલી વિનાશક પૂર અને કુદરતી આફત અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે નેપાળની ઘટનાને અકલ્પનીય અને ભયાવહ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, સામે આવેલા વીડિયોમાં ગાડીઓ અને મકાનો પાણીના પ્રચંડ પ્રવાહમાં જાણે તણખાની જેમ વહી જતા જોવા મળ્યા હતા.

રક્ષાબંધન પર પરિવાર સાથે C.R. પાટીલની ઉજવણી

સી.આર. પાટીલે જણાવ્યું કે નેપાળમાં મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા છે અને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના લોકો પણ પ્રવાસે ગયા હતા. ગુજરાતના 150થી વધુ પ્રવાસીઓ પ્રભાવિત થયા હોવાના અહેવાલનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ભારત સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા લોકોને મદદ અને રાહત પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેપાળના સંપર્કમાં છે. ભારત દ્વારા નેપાળ માટે કુલ 47.5 ટન માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે, જેમાં રાહત સામગ્રી સહિત જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે.

નેપાળ પૂર અંગે આપ્યું નિવેદન

ભારતમાં સંભવિત જાનહાનિ ટાળવા અંગે પણ સી.આર. પાટીલે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, જ્યારે પાણીનું સ્તર વધ્યું ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારતને ઘટના અંગે થોડા કલાકો અગાઉ જાણકારી મળી હતી અને ત્યારબાદ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.

નેપાળની આફત અંગે તેમણે કહ્યું કે આ ઘટના ઇતિહાસમાં એક ભયાનક ઘટના તરીકે યાદ રહેશે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. આવી કુદરતી આફત ફરી ન સર્જાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

નેપાળની આફતને ગણાવી ભયાવહ

રક્ષાબંધનના પર્વ સાથે જોડાયેલી લાગણી અંગે સી.આર. પાટીલે જણાવ્યું કે, જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ તેની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. તેમણે મહાભારતના પ્રસંગનો ઉલ્લેખ કરીને રક્ષા અને વચનના મહત્વને સમજાવ્યું. સાથે જ તેમણે ભારતની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચેની એકતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે દેશ અલગ-અલગ ભાષાઓમાં વહેંચાયેલો હોવા છતાં એક છે.

રક્ષાબંધનના પવિત્ર પર્વે પરિવાર સાથેની ઉજવણી અને નેપાળની આફત પ્રત્યેની ચિંતા—બંને સંદેશો સાથે સી.આર. પાટીલે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો.

આ પણ વાંચો : IND vs SL Test Series : કોઈને મળ્યું ‘Jersey Tattoo’ તો કોઈના ખભા પર નીલા નિશાન, કોલંબો ટેસ્ટ બાદ ખેલાડીઓની હાલત

View post on Instagram
AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.