Get News Alerts

Never miss breaking news updates.

Rajkot: લોકમેળામાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, સડેલા બટેટા મળી આવતા નાશ કરાયો

Rajkot: રાજકોટમાં લોકમેળાના પ્રથમ દિવસે જ આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 01:24 PM IST
Rajkot:  લોકમેળામાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, સડેલા બટેટા મળી આવતા નાશ કરાયોRajkot:  લોકમેળામાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, સડેલા બટેટા મળી આવતા નાશ કરાયો

Rajkot

Rajkot: રાજકોટમાં લોકમેળાના પ્રથમ દિવસે જ આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે. લોકોના પેટમાં વાસી કે બગડેલો ખોરાક પહોંચે તે પહેલાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. ટીમ દ્વારા લોકમેળામાં ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા, ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટા માટે રાખવામાં આવેલા સડેલા બટેટા મળી આવતા આરોગ્ય વિભાગે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

ખાદ્ય સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ

લોકમેળાના પ્રથમ દિવસે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ખાદ્ય સ્ટોલની અચાનક તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી.

સડેલા બટેટા મળી આવતા નાશ કરાયો

ભૂંગળા બટેટાના સ્ટોલની તપાસ દરમિયાન સડેલા બટેટા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે બગડેલા બટેટાનો નાશ કરીને તેને લોકો સુધી પહોંચતા અટકાવ્યા હતા. સમયસર થયેલી આ કાર્યવાહીથી સંભવિત રીતે લોકોના આરોગ્યને નુકસાન પહોંચતું અટક્યું હતું.

ઢોકળા, ખીચું સહિતની ચીજોની પણ તપાસ

આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, સ્ટીમ ઢોકળા અને ખીચું સહિતની ખાદ્યચીજોની તપાસ કરવામાં આવી હતી. સ્ટીમ ઢોકળા માટે વપરાતા તેલ, ચટણી અને મસાલા પણ ચેક કરવામાં આવ્યા હતા.

વાસી ખોરાક ન પહોંચે તે માટે નજર

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીના સ્ટોલ પરથી વિવિધ વાનગીઓ આરોગતા હોય છે. આવી સ્થિતિમાં વાસી અથવા બગડેલો ખોરાક લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગ કરીને આવી ખાદ્યચીજો લોકો સુધી ન પહોંચે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખોરાક લેતા પહેલાં સ્વચ્છતા તપાસવાની અપીલ

લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલાં લોકો પણ સ્ટોલની હાઇજેનિક કન્ડિશન અને ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અંગે ધ્યાન આપે તે જરૂરી છે. ખોરાક યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યો છે કે નહીં અને સ્વચ્છ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે કે નહીં તેની પણ તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો : Jamnagar: અનોખી જન્માષ્ટમી ઉજવણી: મનોદિવ્યાંગ બાળકોએ ભવ્ય નંદમહોત્સવમાં માણ્યો તહેવારનો આનંદ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.