Get News Alerts

Never miss breaking news updates.

Junagadh: ગિરનારની ગોદમાં ભાજપનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ, કાર્યકર્તાઓને માર્ગદર્શન

Junagadh: જૂનાગઢમાં ગિરનારની છત્રછાયામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રશિક્ષણ વર્ગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Aug 2026 07:47 PM IST
Junagadh: ગિરનારની ગોદમાં ભાજપનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ, કાર્યકર્તાઓને  માર્ગદર્શનJunagadh: ગિરનારની ગોદમાં ભાજપનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ, કાર્યકર્તાઓને  માર્ગદર્શન

Junagadh

Junagadh: જૂનાગઢમાં ગિરનારની છત્રછાયામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રશિક્ષણ વર્ગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી વિશેષ પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ દ્વારા ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ અને પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પ્રથમ દિવસે વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન

પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને હિતેન્દ્ર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ કાર્યકર્તાઓને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

બીજા દિવસે વિવિધ વિષયો પર પ્રશિક્ષણ

કાર્યક્રમના બીજા દિવસે પ્રદેશના પદાધિકારીઓ અજય બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ, અર્ચનાબેન ઠાકર, કલ્પેશભાઈ રથવી, ડૉ. હેમાંગ ભટ્ટ તેમજ ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહેશે. તેઓ અલગ-અલગ વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપશે.

અંતિમ દિવસે સંગઠન મહામંત્રીની હાજરી

ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગના અંતિમ દિવસે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહેશે. અંતિમ દિવસે પણ કાર્યકર્તાઓને સંગઠનાત્મક કામગીરી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.

સંગઠનથી સોશિયલ મીડિયા સુધી પ્રશિક્ષણ

આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા પાર્ટીની વિચારધારા, સંગઠન મજબૂતી, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ સહિતના વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવશે.

સરકારની યોજનાઓની પ્રદર્શની

પ્રશિક્ષણ વર્ગ સાથે યોજાયેલી પ્રદર્શનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી રજૂ કરવામાં આવી છે. આ માધ્યમથી કાર્યકર્તાઓને યોજનાઓ અંગે વધુ જાણકારી મેળવી તેને જન-જન સુધી પહોંચાડવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Video Viral: દેવગઢ બારીઆના ચેનપુર રોડ પર રાત્રીના સમયે દીપડાની લટાર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.