Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના તાત્કાલિક નિર્દેશ

Gandhinagar : હોસ્પિટલ પહોંચીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઇજાગ્રસ્તોની સારવારની સમીક્ષા કરી, પરિવારજનોને સાંત્વના પાઠવી.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 07:46 AM IST
Gandhinagar : કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના તાત્કાલિક નિર્દેશGandhinagar : કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના તાત્કાલિક નિર્દેશ

Gandhinagar kudasan

Gandhinagar ના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિસ્થિતિની તાત્કાલિક માહિતી મેળવી હતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત સંબંધિત આરોગ્ય તંત્રને ઇજાગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. તેમણે તબીબો અને હોસ્પિટલના અધિકારીઓ સાથે ચર્ચા કરી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે મંત્રી એ હોસ્પિટલમાં ઉપસ્થિત ઇજાગ્રસ્તોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી તેમજ રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી તબીબી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ જરૂરી દવાઓ અને સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇજાગ્રસ્તોને બેસ્ટ સારવાર આપવાના નિર્દેશ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે અને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન સાધી રાહત અને બચાવ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોના ઝડપી સ્વાસ્થ્યતા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar ના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટનામાં તમામ શ્રમિકો હાલ સુરક્ષિત અને સ્વસ્થ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.