Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : ગુજરાત સરકારે રાજયના તમામ હેલીપેડને સતત ‘ઓપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી કે વીઆઈપી મૂવમેન્ટને સુદૃઢ કરવાની દિશામાં પગલું.
Vivek Shah
Vivek ShahUpdated on: 03 Sep 2026 10:22 AM IST
Gandhinagar : ગુજરાત સરકારે રાજયના તમામ હેલીપેડને સતત ‘ઓપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાંGandhinagar : ગુજરાત સરકારે રાજયના તમામ હેલીપેડને સતત ‘ઓપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં

Gandhinagar Helipad

Gandhinagar : અધિક્ષક ઇજનેરે દરેક હેલીપેડનું દર ત્રણ માસે સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત અને તમામ હેલીપેડની જાળવણી અંગે સતત સમીક્ષા કરતા રહેવાની પણ સૂચના અપાઈ છે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપેડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.

દર ત્રણ માસે થશે સ્થળ નિરીક્ષણ

કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે; તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત અને ચુસ્ત જાળવણી કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આપવામાં આવેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ હવે રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે, જેથી તેની કાર્યક્ષમતાની સતત ચકાસણી કરી શકાય.

કટોકટી સમયે હેલીપેડમાં વિલંબ નહીં

નિરીક્ષણ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ખામી કે મરામતની જરૂરિયાત જણાશે, તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. તમામ હયાત હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક એટલે કે 'ઑપરેશનલ કન્ડીશન'માં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સોંપવામાં આવી છે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અધિક્ષક ઈજનેરો પણ તેમના કાર્યક્ષેત્રના તમામ હેલીપૅડની સમયાંતરે સતત સમીક્ષા કરતા રહેશે.

હેલીપૅડની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ આનુષંગિક સુવિધાઓની નિયમિત મરામત કરવામાં આવશે. આ ઉપરાંત હેલીપૅડ અથવા તેની આસપાસ થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા બિન-વપરાશી વાહનો જેવા તમામ અવરોધોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. સરકારના આ પ્રશંસનીય પગલાથી રાજ્યના તમામ હેલીપૅડ હવે હંમેશા સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશે, જેના પરિણામે આપત્તિના સમયે રાહત કામગીરી અને મહાનુભાવોના પ્રવાસો વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનશે.

આ પણ વાંચો : Arvalli માં શિક્ષક પારિતોષિકની પસંદગી પર તપાસ, અયોગ્ય નામો રદ થશે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.