Get News Alerts

Never miss breaking news updates.

Narmada : વન વિભાગના કર્મચારી પર હુમલા અને ખંડણી કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી

Narmada કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી રદ કરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Aug 2026 12:34 PM IST
Narmada : વન વિભાગના કર્મચારી પર હુમલા અને ખંડણી કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવીNarmada : વન વિભાગના કર્મચારી પર હુમલા અને ખંડણી કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી

Chaitar Vasava

Narmada : કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમની રાહત માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાની શક્યતા સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં સ્થાનિક કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા.

નર્મદા કોર્ટે તમામને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે ચૈતર વસાવા દ્વારા હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરવામાં આવી હતી.

ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત નહીં

જામીન અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવાની અરજીનો સખત વિરોધ કર્યો હતો. સરકાર તરફથી ચૈતર વસાવાના ગુનાહિત ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની સામે પેન્ડિંગ રહેલી આશરે 12 ફરિયાદોની યાદી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જામીન અથવા સજા પર સ્ટે ન આપવાની દલીલ કરી હતી. બીજી તરફ, આ જ કેસમાં ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેન સહિત અન્ય પાંચ આરોપીઓને અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ મુખ્ય આરોપીઓમાં સામેલ નહોતા અને તેમના દ્વારા કોઈ વ્યક્તિને શારીરિક ઈજા પહોંચાડવામાં આવી નહોતી. આ કારણોસર તેમને રાહત આપવામાં આવી હતી.

હાઈકોર્ટના નિર્ણયથી રાજકીય ચર્ચા તેજ

જોકે, ચૈતર વસાવાના મામલે હાઈકોર્ટે અલગ વલણ અપનાવ્યું છે અને તેમની જામીન અરજી નામંજૂર કરી છે. જેના કારણે ચૈતર વસાવા માટે કાનૂની લડત વધુ મહત્વપૂર્ણ બની છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે ચૈતર વસાવા તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ અથવા જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.

જોકે, સુપ્રીમ કોર્ટમાં આગળની કાર્યવાહી ક્યારે અને કયા આધારે થશે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. નર્મદા કેસને લઈને કાનૂની અને રાજકીય બંને ક્ષેત્રે ચર્ચા તેજ બની છે. ખાસ કરીને એક તરફ સહઆરોપીઓને જામીન મળ્યા છે, જ્યારે બીજી તરફ ચૈતર વસાવાને રાહત ન મળતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હાલ હાઈકોર્ટના નિર્ણય બાદ ચૈતર વસાવા માટે આગામી કાનૂની વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટ મહત્વનું મંચ બની શકે છે. કેસની આગળની કાર્યવાહી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર હવે સૌની નજર રહેશે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.