ઇસનપુર-નારોલ હાઇવે પર બાલાજી એસ્ટેટમાં ભીષણ આગની ઘટના
અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

Rahul DesaiUpdated on: 13 Jun 2026 03:28 PM IST


ઇસનપુર-નારોલ હાઇવે પર બાલાજી એસ્ટેટમાં ભીષણ આગની ઘટના
અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

Rahul Desai
Updated on: 13 Jun 2026 03:28 PM IST


અમદાવાદ અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે આગની ઘટના સર્જાઈ હતી. એસ્ટેટની 55 નંબરની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી.
આ ફેક્ટરી નેલ પોલિશ બનાવતી કેમિકલ કંપની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાનો ગોળો છવાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાની નોંધાઈ નથી. પોલીસે અને ફાયર વિભાગે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે.
AUTHOR




