Get News Alerts

Never miss breaking news updates.

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની "સર્જિકલ સ્ટ્રાઈક", એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં 136 શખ્સો જેલના સળિયા પાછળ

ગાંધીનગર: "બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ" – આ માત્ર એક ધમકી નહોતી, પણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો. જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળે, ત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના...
R Gajjar
R GajjarUpdated on: 21 Apr 2026 08:44 PM IST
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની "સર્જિકલ સ્ટ્રાઈક", એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં 136 શખ્સો જેલના સળિયા પાછળવ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની "સર્જિકલ સ્ટ્રાઈક", એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં 136 શખ્સો જેલના સળિયા પાછળ

ગાંધીનગર: "બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ" – આ માત્ર એક ધમકી નહોતી, પણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો. જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળે, ત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું, પરંતુ ગુજરાત પોલીસની સમયસૂચકતા અને કડક કાર્યવાહીએ આવા અનેક નિર્દોષોને બચાવી લીધા છે. રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની સૂચનાથી 15 માર્ચથી 14 એપ્રિલ સુધી એક મહિનાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં વ્યાજખોરો સામે કુલ 110 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 136 તત્વોની ધરપકડ કરવામાં આવી છે. 

આર્થિક તંગીથી ઘેરાયેલા સુરતના આયુષે જૂન-2025માં પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી 10% વ્યાજે રૂ. 20,000 લીધા હતા. વ્યાજખોરે રૂ. 2,000 એડવાન્સ કાપી, કોરો ચેક પડાવીને આયુષનું શોષણ શરૂ કર્યું. જ્યારે આયુષે સમય માંગ્યો ત્યારે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે તેને રસ્તામાં રોકી, ગાળાગાળી કરી અને પૈસા નહીં આપે તો ચપ્પાથી પતાવી દઈશ તેવી ધમકી આપી. સુરતની ચોકબજાર પોલીસે આ મામલે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, આ બંને વ્યાજખોરો સમાજ માટે ખતરો ન બને તે માટે તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ માત્ર ગુના નોંધીને અટકી નથી રહી, પરંતુ લોક દરબાર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા બચાવવા માટે સરકારી લોન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. 

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com