અમદાવાદના ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને મફત ચોપડાઓનું વિતરણ



અમદાવાદના ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને મફત ચોપડાઓનું વિતરણ



અમદાવાદ અમદાવાદમાં વર્ષ 2009થી સમાજસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત મફત ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી ચોપડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ શ્રી ક્ષિતિશ મદનમોહન સાહેબના ઉદાર સહયોગથી યોજાયો હતો. તેમના સહકારથી અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પ્રસંગે ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાઝ મનસુરીએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણમાં કોઈ અડચણ ન આવે તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત છે. તેમણે જણાવ્યું કે સમાજના સહયોગથી આવા સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.
ચોપડાઓ મળતાં વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ શ્રી ક્ષિતિશ મદનમોહન સાહેબ અને ઉમંગ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મિતુલભાઈ બ્રહ્મભટ્ટ, આસિફભાઈ ઘાંચી, અમિતસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ પટની, અવિનાશ સોલંકી, અંજલિ ગેડામ અને સરફરાઝ મનસુરી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કર્યું હતું.
ઉમંગ સેવા ટ્રસ્ટે જણાવ્યું હતું કે ટ્રસ્ટ ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડતું રહેશે.
**"સેવા જ પરમો ધર્મ"**ના સૂત્ર સાથે કાર્યરત ઉમંગ સેવા ટ્રસ્ટ સમાજસેવાના ક્ષેત્રમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.




