ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાતા બે બાળકીઓના શંકાસ્પદ મોત, માતા-પિતા ગંભીર હાલતમાં



AI Image
ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાતા બે બાળકીઓના શંકાસ્પદ મોત, માતા-પિતા ગંભીર હાલતમાં



AI Image
અમદાવાદ: અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાંથી ચોકાવનારો મામલો સામે આવ્યો છે. બે દિવસ પહેલા પરિવારે બજારમાંથી ઢોસાનું ખીરુ લાવ્યા હતા. જેમાંથી ઢોસા બનાવીને ખાતા 3 મહિના અને 4 વર્ષની બે બાળકીનું મોત થયુ હતુ. જ્યારે માતા પિતાની હાલત અંત્યત નાજૂક છે. પરિવારનો આરોપ છે કે બજારમાંથી લવાતા ઢોસાનું ખીરુ ખાતા આ બનાવ બન્યો છે. તેના કારણે પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કહ્યુ હતુ કે આના સામે જે પણ ગુનેહાર હોય તેમને સખત સજા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે બે બાળકીનો મોત થતા તેમને પીએમ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા રેસીડેન્સી ખાતે રહેલા એક પરિવારે બે દિવસ પહેલા બજારમાંથી ઢોસાનું ખીરુ લાવીને ઢોસા બનાવીને ખાધા હતા. તેમાં તેમને ઘરમાં 3 મહિના અને 4 વર્ષની બે બાળકીઓ સાથે સાથે માતા પિતાની પણ તબિયત બગળી હતી જેના કારણે તેમને સારવાર ખાતે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન બે બાળકીનું મોત થયુ હતુ. જ્યારે માતા પિતાની હાલત ખૂબ નાજૂક જોવા મળી રહી છે. આ બનાવ બનતા તેમના પરિવાર સભ્યો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જ્યારે બજારમાંથી લાવેલા ખુરુમાંથી ઢોસા ખાતા બે બાળકી શંકાસ્પદ મોત થતા અને માતા પિતાની હાલત ખૂબ નાજૂક જોવા મળી રહી છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં શોક જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલો જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે. અને બે બાળકીના મોત થતા હાલ મૃતદેહ પીએમ ખાતે લઈ જવામાં આવ્યો છે.




