Get News Alerts

Never miss breaking news updates.

રિવાબાનો આત્મવિશ્વાસ: ‘પરિણામે ભાજપ જ જીતશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાયો છે. તેવામાં રાજકોટમાં આજે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ મહત્ત્તપૂર્ણ નિવેદન આપ્યુ છે. જેમાં તેમને કહ્યુ કે ચૂંટણી લડનારા દરેકને શુભેચ્છા પરતુ જીત ભાજપની થશે. તેમણે વધુ ઉમેર્યુ કે ભાજપના કાર્યકર્તાઓ પર તેમને સંપૂર્ણ પણ વિશ્વાસ છે અને તારીખ 26 પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ જ જીતશે. તેવા પ્રકારનું નિવેદન આપ્યુ હતુ.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Apr 2026 01:12 PM IST
રિવાબાનો આત્મવિશ્વાસ: ‘પરિણામે ભાજપ જ જીતશેરિવાબાનો આત્મવિશ્વાસ: ‘પરિણામે ભાજપ જ જીતશે

રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે નારી શક્તિ બિલ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ચૂંટણીને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રિવાબા જાડેજાએ રાજકોટ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલી પોતાની નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. નયનાબા રાજકોટના વોર્ડ નંબર 2માંથી મેદાનમાં છે અને તેઓ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન છે.

મીડિયા સાથે વાત કરતાં રિવાબાએ કહ્યું કે, “ચૂંટણી લડનાર દરેકને શુભેચ્છા, પરંતુ જીત ભાજપની જ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના કાર્યકર્તાઓ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને 26 તારીખે પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ જ જીતશે.

રાજકોટમાં પરિવાર અને રાજકારણ વચ્ચેનો આ મુકાબલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે પરિણામો પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.