Get News Alerts

Never miss breaking news updates.

વડાપ્રધાન મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે: વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે

આશરે ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે કરવામાં આવશે. લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 02:31 PM IST
વડાપ્રધાન મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે: વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશેવડાપ્રધાન મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે: વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે

વડોદરા: નરેન્દ્ર મોદી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે, જ્યાં તેઓ વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે.

માહિતી મુજબ, આશરે ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે કરવામાં આવશે. લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને ‘સરદાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ત્રિપલ તલાક સહિતના વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરવામાં આવેલી કામગીરી બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવશે.

કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત અનેક અગ્રણીઓ હાજર રહેશે.

વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક આવેલા સરદારધામ ખાતે 11 મેના રોજ સાંજે 4:30 વાગ્યે કાર્યક્રમ યોજાશે, જેને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.