Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના ધનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાન

અમદાવાદમાં ધનાસુથારની પોળના રહેવાસીઓ ગંંદુ પાણી આવતા પરેશાનની સમનો કરી રહ્યા છે. પાણી શરૂઆતના 1 કલાક પીવાનું પાણી ગંદુ આવે છે. તેના લીધે પીવાથી લોકો બિમાર પડી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ પ્રકારની સમસ્યાની કાયમી ઉકેલ જલ્લીથી જલ્લી આવે તેવી માંગ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 02:49 PM IST
અમદાવાદના ધનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાનઅમદાવાદના ધનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા રહીશો પરેશાન

AI Image

અમદાવાદ: અમદાવાદમાં હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે. અમદાવાદના રીલીફ રોડ ખાતે આવેલા ઘનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાના સ્થાનિકોનુ કહેવુ છે કે ગંદા પાણીની જે સમસ્યા વર્ષોથી આવી રહી છે. તેને લઈને સરકાર દ્વારા કાયમી ઉકેલ લાવે તેવી ત્યાના સ્થાનિક લોકોની માગં કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં પાણીની સમસ્યા લઈને પોળ વિસ્તારમાં લોકો દ્વારા ભારે નારાજગી જોવા મળી રહી છે. રીલીફ રોડ ખાતે આવેલા ઘનાસુથારની પોળમાં ગંદુ પાણી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોળના રહેવાસીઓનું કહેવુ છે કે સવારે જે પીવાનું પાણી આવે છે તે સખત 1 કલાક સુધી ગંધુ પાણી આવતુ હોય છે. તેના કારણે તે પીવા લાયક રહેતુ નથી. તેના લીધે ઘરમાં રોગચાળો ફાટી નિકળે છે. તંત્ર દ્વારા તેને કાયમી ઉકેલ લાવે  તેવી માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં પોળ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ગંદુ પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહે છે. આ ફક્ત 1 પોળનો સવાલ નથી 15 પોળમાં ગંધુ પાણી આવી આવી સમસ્યા આવી રહી છે. જેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.