જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા, ગુજરાતની જેલોમાંથી 44 બંદીવાન બોર્ડ પરીક્ષામાં પાસ



જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા, ગુજરાતની જેલોમાંથી 44 બંદીવાન બોર્ડ પરીક્ષામાં પાસ



અમદાવાદ : ગુજરાતની જેલોમાં હવે માત્ર સજા નહીં, પરંતુ સુધાર અને શિક્ષણનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. રાજ્ય પોલીસ વડા K. L. N. Rao દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યની વિવિધ જેલોમાંથી કુલ 44 બંદીવાનોએ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.
આમાંથી ધોરણ-10માં 22 અને ધોરણ-12માં 22 બંદીવાનો સફળ થયા છે. જેલ પ્રશાસનની સતત મહેનત અને શિક્ષણ પ્રત્યેના પ્રોત્સાહનને કારણે અનેક કેદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
જેલોમાં બંદીવાનો માટે પુસ્તકો, અભ્યાસ સામગ્રી, ખાસ કોચિંગ વર્ગો તેમજ આધુનિક લાઇબ્રેરી અને ઓડિયો બુક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલું જ નહીં, બંદીવાનોને પરીક્ષા આપવા માટે જેલ પરિસરમાં જ બોર્ડ પરીક્ષાના સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શિક્ષણના કારણે અનેક બંદીવાનો ડિપ્રેશન અને નિરાશામાંથી બહાર આવી ફરી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાવા માટે પ્રેરાઈ રહ્યા છે. એક બંદીવાને જણાવ્યું હતું કે, “સજા બાદ જીવન પૂર્ણ થઈ ગયું હોય એવું લાગતું હતું, પરંતુ હવે શિક્ષણના કારણે નવી આશા જાગી છે.”
જેલોમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંગીત અને કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક બંદીવાન હાલ જેલમાં સંગીતના ક્લાસ લઈ ગાયક બનવાનું સપનું જોઈ રહ્યો છે.
ગુજરાતની જેલોમાં શરૂ કરાયેલાGujaratJail,PrisonReform,EducationInJail,BoardExam,GujaratPolice,KLNRao,JailEducation,PrisonersSuccess,PositiveNews,GujaratNews,JailLibrary,AudioBooks,SkillDevelopment, આ સુધારાત્મક પ્રયાસો હવે કેદીઓ માટે નવી ઓળખ અને નવી દિશા બની રહ્યા છે. શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી જેલોને સાચા અર્થમાં સુધારગૃહ બનાવવાનો પ્રયાસ સફળ થતો જોવા મળી રહ્યો છે.




