Get News Alerts

Never miss breaking news updates.

સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Jun 2026 12:59 PM IST
સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોતસીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

બેરૂત: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ (સીજફાયર) લાગુ થયાના થોડા જ કલાકોમાં દક્ષિણ લેબનોનમાં ફરી હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) અનુસાર, દક્ષિણ લેબનોનના સાજદ શહેર નજીક આવેલા જબલ અલ-રફી વિસ્તારમાં ઇઝરાયલે એરસ્ટ્રાઈક કરી હતી. નોંધનીય છે કે હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે થયેલું યુદ્ધવિરામ શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યાથી અમલમાં આવ્યું હતું.

સીજફાયર બાદ થયેલા હુમલાને કારણે બંને પક્ષો વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાહના વડા Naim Qassemએ ચેતવણી આપી હતી કે જો સંગઠન પર હુમલો થશે તો તેઓ હથિયારો દ્વારા તેનો જવાબ આપશે.

અલ-મનાર ટીવી ચેનલ પર સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે હિઝબુલ્લાહને ખતમ કરવાની અને કબજો કાયમી બનાવવાની ઇઝરાયલની યોજના નિષ્ફળ ગઈ છે. તેમણે દાવો કર્યો કે ઇઝરાયલને આખરે લેબનોનની જમીનના દરેક ભાગમાંથી પાછું હટવું પડશે.

નઈમ કાસિમે વધુમાં આરોપ લગાવ્યો કે અમેરિકા અને ઇઝરાયલ મળીને લેબનોનના ભવિષ્યને નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ લેબનોનની રાજકીય વ્યવસ્થા સામે નવો વિરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેમજ યુદ્ધગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણમાં પણ અવરોધ ઉભા કરી રહ્યું છે.

હિઝબુલ્લાહના સંસદીય ગઠબંધન "લોયલ્ટી ટુ ધ રેઝિસ્ટન્સ"ના સભ્ય Ibrahim al-Moussawiએ પણ જણાવ્યું હતું કે જો ઇઝરાયલ કરારની શરતોનું પાલન કરશે તો હિઝબુલ્લાહ પણ યુદ્ધવિરામનો સન્માન જાળવી રાખશે.

આ તરફ લેબનોનના પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના આંકડા મુજબ, 2 માર્ચથી અત્યાર સુધી ઇઝરાયલી હુમલાઓમાં કુલ 3,980 લોકોના મોત થયા છે, જ્યારે 12,001થી વધુ લોકો ઘાયલ થયા છે.

સીજફાયર બાદ પણ હુમલાની ઘટના સામે આવતા મધ્ય પૂર્વમાં ફરી એકવાર અસ્થિરતા અને સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.