ઇસ્કોન બ્રિજ કેસ: તથ્ય પટેલને 15 દિવસમાં ₹1 કરોડ જમા કરાવવાનો આદેશ



ઇસ્કોન બ્રિજ કેસ: તથ્ય પટેલને 15 દિવસમાં ₹1 કરોડ જમા કરાવવાનો આદેશ



ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા બાદ આરોપી તથ્ય પટેલને જામીન બોન્ડ સ્વરૂપે ₹1 કરોડ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ રકમ 15 દિવસની અંદર જમા કરાવવી પડશે.
મળતી માહિતી મુજબ, તથ્ય પટેલને અગાઉ સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા હતા, પરંતુ જામીનની શરતો અંતર્ગત બોન્ડ રકમ નક્કી કરવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે સહમતિ દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં થયેલા ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કેસની ગંભીરતા અને પીડિત પરિવારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા કડક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે.
હાલમાં સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બોન્ડ જમા પ્રક્રિયા તથા આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર રહેશે.




