Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત, પ્રદૂષિત પાણીની શંકા

અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતની ઘટનાએ ચિંતા ઉભી કરી છે. વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ નદીમાં પ્રદૂષણ ફેલાયું હોવાની શંકા વચ્ચે નાથાલાલ સુખડિયાએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પાણીના સેમ્પલની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 04:49 PM IST
અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત, પ્રદૂષિત પાણીની શંકાઅમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત, પ્રદૂષિત પાણીની શંકા

અમરેલી અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતના મામલે હવે તપાસની માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.

આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. પાણીમાં કોઈ ઝેરી પદાર્થ અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ દેવળ તેમજ નાના-મોટા ગોખરવાળા સહિતના વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

પ્રદૂષિત પાણીના કારણે પ્રકૃતિ અને વન્યજીવોને ગંભીર ખતરો ઉભો થયો હોવાનું જણાવતાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.