Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહાજનંદ ટાવરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

અમદાવાદમાં આવેલા જીવરાજ પાર્કમાં સહજાનંદ ટાવરમાં આજે સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી વિકરાટ હતી કે તેના આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સંહજાનંદ ટાવરના અંદર રહેતા રહેવાસીઓને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. આગ કેમ લાગી હતી તેની તપાસ હાલ ચાલુ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 12:20 PM IST
અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહાજનંદ ટાવરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલઅમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા સહાજનંદ ટાવરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

અમદાવાદ: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, જે મકાનમાં આગ લાગી તે લાંબા સમયથી બંધ હાલતમાં હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આગને કારણે આસપાસના ફ્લેટ અને દુકાનોમાં પણ ધુમાડો ફેલાતા લોકોને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર વિભાગ દ્વારા મકાનની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલ છે કે નહીં તેની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ કૂલિંગ કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી રહી છે જેથી ફરી આગ ભભૂકી ન ઊઠે. ઘટનાને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આગની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, જ્યારે સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.