થરાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહિલા સાથે સંવાદ, વિપક્ષ પર કર્યા તીખા પ્રહાર



થરાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહિલા સાથે સંવાદ, વિપક્ષ પર કર્યા તીખા પ્રહાર



થરાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ થરાદ ખાતે મહિલા જાગૃતિ અને ‘દૂધ દિન’ કાર્યક્રમમાં હાજરી આપી મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં 33 ટકા અનામત મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “વિપક્ષ માત્ર ચૂંટણી વખતે જ જનતા વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ હંમેશા લોકો સાથે રહે છે.” તેમણે મહિલાશક્તિની વાત કરતા ઉમેર્યું કે, “બહેનો સામે કોઈ પડે તો તેનો ખાતમો થઈ જાય છે.”
રાજ્યના વિકાસ મુદ્દાઓ પર વાત કરતા મુખ્યમંત્રીએ નહેરમાં ક્ષારની સમસ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી આપી હતી. સાથે જ જિલ્લામાં તમામ તળાવો ભરવાની યોજનાની જાહેરાત પણ કરી હતી.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ભાજપના વિજય માટે કાર્યકરોને સજ્જ રહેવા અપીલ કરી હતી.




