Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં મોટો ખુલાસો: 122 બાળલગ્નના કેસ સામે આવ્યા

રાજકોટમાં મેરેજ સર્ટિફિકેટ માટે થયેલી ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં 122 બાળલગ્નના કેસ સામે આવ્યા છે. મામલો બહાર આવતા મનપાએ તમામ સર્ટિફિકેટ નામંજૂર કરી વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 02:24 PM IST
રાજકોટમાં મોટો ખુલાસો: 122 બાળલગ્નના કેસ સામે આવ્યારાજકોટમાં મોટો ખુલાસો: 122 બાળલગ્નના કેસ સામે આવ્યા

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેરેજ સર્ટિફિકેટ માટેની ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં કુલ 122 કેસોમાં બાળલગ્ન થયાના મામલા સામે આવ્યા છે.

માહિતી મુજબ, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કરવામાં આવેલી અરજીઓમાં ગેરરીતિઓ સામે આવતાં આરોગ્ય વિભાગે તમામ આવા સર્ટિફિકેટ નામંજૂર કર્યા છે.

આ ઘટનાએ સમાજ કલ્યાણ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા કર્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.