Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 72 IAS અધિકારીઓના ટ્રાન્સફર

અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી, મોરબી, દાહોદ, જૂનાગઢ અને કચ્છ સહિતના મહત્વના જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર અને મોટા શહેરી તંત્રોમાં પણ વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ મોટા ફેરફારને વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક, ઝડપી અને જવાબદાર બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 May 2026 10:50 AM IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 72 IAS અધિકારીઓના ટ્રાન્સફરગુજરાત સરકારનો મોટો નિર્ણય: 72 IAS અધિકારીઓના ટ્રાન્સફર

ફાઈલ ફોટો

અમદાવાદ, : ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરતા મંગળવારે મોડી રાત્રે 72 IAS અધિકારીઓના બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 મેના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, આ વ્યાપક વહીવટી ફેરબદલનો પ્રભાવ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારના અનેક વિભાગોમાં જોવા મળશે.

અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી, મોરબી, દાહોદ, જૂનાગઢ અને કચ્છ સહિતના મહત્વના જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર અને મોટા શહેરી તંત્રોમાં પણ વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ મોટા ફેરફારને વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક, ઝડપી અને જવાબદાર બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

જારી થયેલી સૂચના મુજબ, ડી.એન. મોદીને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પદ પરથી બદલી કરીને ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કે.એલ. બચાણી પાસે રહેલો વધારાનો ચાર્જ પણ હટાવી દેવાયો છે.

બીજી તરફ, આનંદ બાબુલાલ પટેલને કચ્છ-ભુજના કલેક્ટર પદ પરથી હટાવીને સ્કૂલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત તેમને પીએમ-પોષણ યોજના (મિડ-ડે મીલ) કમિશનર અને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના ડિરેક્ટર તરીકે વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ ચાર્જ અગાઉ રચિત રાજ પાસે હતો.

અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરીને તેમને રાજ્ય કર વિભાગમાં વિશેષ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. આ પદનો વધારાનો ચાર્જ અત્યાર સુધી પી. ભારતી સંભાળી રહ્યા હતા. તે જ રીતે અજય પ્રકાશને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર પદ પરથી હટાવીને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ વડોદરા સ્થિત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળશે.

સુરતના કલેક્ટર ડૉ. સૌરભ પારધીની પણ ગાંધીનગર બદલી કરવામાં આવી છે. તેમને નાગરિક પુરવઠા નિયામક તથા ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં પદેન વધારાના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ આ પદ પર મયુર મહેતાનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ પહેલા માર્ચ મહિનામાં 37 IPS અધિકારીઓના પણ ટ્રાન્સફર કર્યા હતા અને અશોક કુમાર યાદવને નવા IB ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.