Get News Alerts

Never miss breaking news updates.

GSRTCનો મોટો નિર્ણય: અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વોલ્વો ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો લાભ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. જેમ કે અમદાવાદ - સુરત. અમદાવાદ-ભાવનગર ખાતેના રૂટના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. વોલ્વો બસનું ભાડું રૂ 351 ઘટાડીને રૂ 337 રૂપિયા કરી દેતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મુસાફરીનો કલાકોમાં ઘટાડો જોવા મળશે. અને નહેરુનગરથી સુરત વચ્ચે રુટ નવા એક્સપ્રેસ હાઈવે ઉપયોગ કરવાથી ભાડુ પહેલા 748 હતુ હવે 687 કરવામાં આવ્યુ છે. જેના કારણે મુસાફરોને પૈસા અને સમય બંન્નેની બચત થશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 02:39 PM IST
GSRTCનો મોટો નિર્ણય: અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વોલ્વો ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો લાભGSRTCનો મોટો નિર્ણય: અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વોલ્વો ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો લાભ

ફાઈલ ફોટો

અમદાવાદ: અમદાવાદથી ચાલતી GSRTCની વોલ્વો બસોના મુસાફરો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા હાઈવે શરૂ થતાં મુસાફરીનું અંતર અને સમય બંને ઘટતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત રૂટના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ-ભાવનગર વચ્ચે ધોલેરા હાઈવે શરૂ થતાં અંતર ઘટ્યું છે, જેના કારણે વોલ્વો બસનું ભાડું રૂ.351થી ઘટાડીને રૂ.337 કરવામાં આવ્યું છે. આથી મુસાફરોને રૂ.14નો સીધો લાભ મળશે તેમજ મુસાફરીના સમયમાં પણ અંદાજે એક કલાકનો ઘટાડો થયો છે.

તે જ રીતે નહેરુનગરથી સુરત વચ્ચેના રૂટ પર નવા એક્સપ્રેસ હાઈવેના ઉપયોગથી અંતર ઘટતાં ભાડું રૂ.748થી ઘટાડીને રૂ.687 કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને રૂ.61ની બચત થશે અને લગભગ 50 મિનિટનો સમય પણ બચશે.

GSRTCના આ નિર્ણયથી નિયમિત મુસાફરોને ભાડામાં રાહત સાથે સમયની પણ બચત થશે, જેનાથી બંને રૂટ પર મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.