અમદાવાદમાં ન્યુ હોનેસ્ટ કોર્નર ફરી વિવાદમાં! છાશમાં મૃત જીવાત અને વાંદો મળ્યાનો આક્ષેપ



અમદાવાદમાં ન્યુ હોનેસ્ટ કોર્નર ફરી વિવાદમાં! છાશમાં મૃત જીવાત અને વાંદો મળ્યાનો આક્ષેપ



અમદાવાદ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ન્યુ હોનેસ્ટ કોર્નર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એક ગ્રાહકે છાશમાં મૃત જીવાત અને વાંદો મળ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ગ્રાહકે દાવો કર્યો છે કે તેણે ન્યુ હોનેસ્ટ કોર્નરથી લીધેલી છાશમાં મૃત જીવાત અને વાંદો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિડિયો વાયરલ થયા બાદ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં આવી ઘટનાઓ પર તંત્રની કામગીરી કેટલી ઝડપી અને અસરકારક રહેશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિક લોકો દ્વારા પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર વધુ કડક નિયંત્રણની માંગ ઉઠી રહી છે.




