આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જગદીશ વિશ્વકર્માએ નગરજનો સાથે કર્યો સામૂહિક યોગાભ્યાસ



આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જગદીશ વિશ્વકર્માએ નગરજનો સાથે કર્યો સામૂહિક યોગાભ્યાસ



અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી Narendra Modiની પહેલ અને પ્રયાસોના પરિણામે આજે યોગ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય અને જાણીતો બન્યો છે. યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્માના સંતુલનનું શક્તિશાળી સાધન હોવાનું તેમણે જણાવ્યું હતું.
જગદીશ વિશ્વકર્માએ નાગરિકોને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા અપીલ કરતાં કહ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે. સાથે જ તેમણે ‘સ્વસ્થ ભારત, સશક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને યોગ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યોગપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ વિવિધ યોગાસનો કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.




