CJPના ત્રણ નવા પ્રવક્તા કોણ? સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા વિશે જાણો



CJPના ત્રણ નવા પ્રવક્તા કોણ? સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા વિશે જાણો



Cockroach Janta Party: સોશિયલ મીડિયા પર મીમ અને ડિજિટલ અભિયાન તરીકે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે રસ્તા પરની રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. NEET-UG અને CBSE જેવી પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના વિરોધમાં પાર્ટી ટૂંક સમયમાં દિલ્હીમાં મોટું આંદોલન અને વિરોધ પ્રદર્શન યોજવા જઈ રહી છે.
પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે 6 જૂને અમેરિકા પરથી દિલ્હી પરત ફરવાના છે. આંદોલન પહેલાં પાર્ટીએ ત્રણ નવા પ્રવક્તાઓની નિમણૂક કરી છે, જેમાં સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકાનો સમાવેશ થાય છે. આ ત્રણેય હવે મીડિયા અને જનતા સમક્ષ પાર્ટીનો પક્ષ રજૂ કરશે.
બુધવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાયેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય પ્રવક્તાઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અભિજીત દિપકે દિલ્હી પહોંચ્યા બાદ જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે મંજૂરી માંગશે.
સૌરભ દાસ કોણ છે?
કોકરોચ જનતા પાર્ટીએ સૌરભ દાસને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. સૌરભ દાસ વ્યવસાયે પત્રકાર છે અને તેઓ કાનૂની, ન્યાયિક અને સામાજિક મુદ્દાઓ પર લાંબા સમયથી લખતા આવ્યા છે.
તેઓ સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખ ધરાવે છે. નવેમ્બર 2025 દરમિયાન ઇન્ડિયા ગેટ ખાતે યોજાયેલા પ્રદૂષણ વિરોધી પ્રદર્શનોમાં તેમની સક્રિય ભાગીદારી રહી હતી. RTI મારફતે માહિતી મેળવી અનેક રિપોર્ટ્સ પ્રકાશિત કરનાર સૌરભ દાસ COVID-19 દરમિયાન આરોગ્ય સેતુ એપ સંબંધિત માહિતી જાહેર કરીને ચર્ચામાં આવ્યા હતા.
વિજેતા દહિયા કોણ છે?
વિજેતા દહિયા હરિયાણાના રહેવાસી છે, જો કે હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. તેમણે દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી માંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તેઓ રાજકીય સંશોધક, લેખક અને ફિલ્મમેકર તરીકે જાણીતા છે. વિજેતા દહિયાએ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી સાથે સંશોધક અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કામ કર્યું છે. Quora હિન્દી પ્લેટફોર્મ પર રાજકારણ, ઇતિહાસ અને સિનેમા વિષયક તેમના વિશ્લેષણને વ્યાપક પ્રશંસા મળી છે.
તેઓએ 'Power of Universe' અને 'To Hell With That Job' જેવી બે લોકપ્રિય પુસ્તકો લખી છે. ઉપરાંત હરિયાણવી ફિલ્મો 'દરારેં' અને 'ઓપરી પરાઈ' ના લેખન અને દિગ્દર્શન સાથે પણ જોડાયેલા રહ્યા છે.
આશુતોષ રાંકા કોણ છે?
આશુતોષ રાંકાએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુર માંથી B.Tech પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેમણે London School of Economics માંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.
તેઓ વૈશ્વિક કન્સલ્ટિંગ કંપની McKinsey સાથે પણ કામ કરી ચૂક્યા છે. કન્સલ્ટન્ટ, પબ્લિક પોલિસી નિષ્ણાત અને સામાજિક કાર્યકર તરીકે તેમની ઓળખ છે.
ગત વર્ષે લંડનથી ભારત પરત ફર્યા બાદ તેમણે જયપુરમાં પર્યાવરણ, શિક્ષણ અને યુવાનોને લગતા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી છે. NEET પેપર લીક સહિતના મુદ્દાઓ પર તેઓ ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા રહ્યા છે.
શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ
કોકરોચ જનતા પાર્ટીના ત્રણેય નવા પ્રવક્તાઓએ NEET અને CBSE જેવી પરીક્ષાઓમાં પારદર્શિતા વધારવા, પેપર લીક જેવી ઘટનાઓ રોકવા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે સશક્ત અભિયાન ચલાવવાની વાત કરી છે. 6 જૂનના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પર હવે સૌની નજર છે.
સૌરભ દાસ, વિજેતા દોહિયા અને આશુતોષ રાંકા... કોકરોચ પાર્ટીના આ ત્રણ પ્રવક્તા કોણ છે?
સોશિયલ મીડિયા દ્વારા ઉત્પન્ન થયેલી કોકરોચ જનતા પાર્ટી હવે રસ્તાની રાજનીતિ કરવા જય રહી છે. આની માટે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપક અમેરિકાથી દિલ્લી પાછા આવી રહ્યાં છે અને તેમને સૌરભ દસ, વિજેતા દોહિયા અને આશુતોષ રાંકાને પ્રવક્તા બનાવ્યા છે. પ્રશ્ન એ છે કે આ ત્રણે પ્રવકતાઓ કોણ છે?
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્લીમાં એક મોટું આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાનું જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર મીમ અને ડિજિટલ આંદોલનના રૂપમાં શરૂ થયેલું આ અભિયાન હવે જમીન સ્ટાર પર ઉતરવાની તૈયારીમાં છે. NEET-UG અને CBSE જેવી પરીક્ષાઓમાં પેપર લીક કે વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા જઈ રહ્યાં છે.
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપક આંદોલન માટે 6 જૂને અમેરિકાથી દિલ્લી પાછા ફરવાના છે. આ પેહલા કોકરોચ જનતા પાર્ટીએ સૌરભ દાસ, વિજેતા દહિયા અને આસુતોષ રાંકા પ્રવક્તા નિયુક્ત કર્યા છે, જે જનતા અને મીડિયાથી વાત કરશે.




