'મારા નામે ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે, ટીમ ઈન્ડિયાને હંમેશા મારો સંપૂર્ણ સમર્થન' : સૂર્યકુમાર યાદવ



ફાઈલ ફોટો
'મારા નામે ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે, ટીમ ઈન્ડિયાને હંમેશા મારો સંપૂર્ણ સમર્થન' : સૂર્યકુમાર યાદવ



ફાઈલ ફોટો
નવી દિલ્હી: ભારતીય ટી-20 ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર તેમના નામે વાયરલ થઈ રહેલા ભ્રામક નિવેદનોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર તેમના નામે જે નિવેદનો ફરતા થઈ રહ્યા છે, તે તેમણે આપ્યા નથી અને તે સંપૂર્ણપણે ખોટા છે.
સૂર્યકુમારે પોતાના 'X' (પૂર્વે ટ્વિટર) પર લખ્યું કે, "હું ટીમ માટે ખૂબ ખુશ છું અને હંમેશા તેમના સફળતાની શુભેચ્છા પાઠવું છું. ટીમના ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે અને તેમને હંમેશા મારો સંપૂર્ણ સમર્થન રહેશે."
તેમણે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, "તું એક રોમાંચક સફરની શરૂઆત કરી રહ્યો છે. દરેક ક્ષણનો આનંદ માણ અને દેશનું ગૌરવ વધારતો રહેજે."
સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે, "મારા નામે સોશિયલ મીડિયા પર એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી કે તેની મંજૂરી પણ આપી નથી. કૃપા કરીને તપાસ્યા વગર કોઈ માહિતી પર વિશ્વાસ ન કરો અને તેને શેર પણ ન કરો."
તેમણે ઉમેર્યું કે ભારતીય ક્રિકેટ, પોતાના સાથી ખેલાડીઓ અને રમત પ્રત્યે તેમનું સમર્થન હંમેશા અડગ રહેશે અને ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે ન દોરાય તેવી અપીલ પણ કરી હતી.




