રાઘવ ચઢ્ઢાને કૂકડો બનાવીને ઢોર માર માર્યો, હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો



ફાઇલ તસવીર
રાઘવ ચઢ્ઢાને કૂકડો બનાવીને ઢોર માર માર્યો, હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષનો દાવો



ફાઇલ તસવીર
Raghav Chadha Controversy: સંસદમાં જાહેર મુદ્દાઓ ઉઠાવવા માટે સામાન્ય રીતે સમાચારમાં રહેતા રાઘવ ચઢ્ઢા આ વખતે એક અલગ જ કારણસર હેડલાઇન્સમાં છે. આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી દૂર કર્યા છે, જેના કારણે રાજકીય વર્તુળો તેમજ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હરિયાણા એકમના ભૂતપૂર્વ પ્રમુખ નવીન જયહિંદ ગંભીર આરોપો લગાવતો એક વીડિયો જાહેર કર્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા એક વીડિયોમાં નવીન જયહિંદે દાવો કર્યો છે કે, રાઘવ ચઢ્ઢાને દિલ્હી સ્થિત તેમના સરકારી નિવાસસ્થાન ‘શીશમહલ’માં બોલાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાઘવ આ ઘટનામાં ઘાયલ થયો હતો, જેના કારણે તેમને સારવાર માટે વિદેશ જવાની ફરજ પડી હતી. જયહિંદ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, રાઘવે આ ઘટના વિશે ખુલ્લેઆમ આગળ આવવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાઘવને દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને બોલાવવામાં આવ્યો હતો, તેમને કૂકડાની જેમ ઉભા રાખવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો.
વીડિયો પોસ્ટ કરતા નવીન જયહિંદે લખ્યું કે, ‘રાધવજી, તમે કેમ નથી કહેતા કે જ્યારે તમને શીશમહલમાં બોલાવવામાં આવ્યા હતા અને કૂકડાની જેમ ઉભા રાખીને માર મારવામાં આવ્યો હતો, ત્યારે તમારી આંખમાં ઈજા થઈ હતી, જે ઇંગ્લેન્ડ ગયા પછી જ સાજી થઈ ગઈ હતી. ત્યારે તમે ખૂબ રડ્યા હતા. એક મહિલા સાંસદ તમારા કરતાં વધુ બહાદુર નીકળી, જેણે લોકોને માર મારવા વિશે કહ્યું. હિંમત બતાવો, રાઘવ લોકોને કહો.’




