ઇરાને ભારતને આપી ખુશખબર, હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી બેધડક પસાર થશે ભારતીય જહાજ



ફાઇલ તસવીર
ઇરાને ભારતને આપી ખુશખબર, હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી બેધડક પસાર થશે ભારતીય જહાજ



ફાઇલ તસવીર
Iran Israel War: ઈરાને આખરે એવી ખુશખબર આપી છે, જેની ભારતીયો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેલ અને ગેસનો પુરવઠો ફરી શરૂ થવાની આશા વધી ગઈ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારત સાથેના સંબંધો ઉત્તમ છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાક ભારતીય જહાજો પહેલાથી જ આ માર્ગે સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે અને આ વલણ ચાલુ રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સમગ્ર વિશ્વ વૈશ્વિક ઊર્જા પુરવઠા અને સલામત દરિયાઈ માર્ગો અંગે ચિંતિત છે.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે ઈરાને ભારતને શું કહ્યું?
જ્યારે ઈરાનના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીને ભારતીય જહાજોની અવરજવર વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમનો પ્રતિભાવ ખૂબ જ સકારાત્મક હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમસ્યા એ નથી કે ઈરાન પરવાનગી આપશે કે નહીં, પરંતુ એક ગંભીર સુરક્ષા મુદ્દો છે. તેમના મતે આ માર્ગ ઈરાન પર હુમલો કરનારા દુશ્મન દેશો માટે બંધ છે. જો કે, જે દેશો ઈરાનના મિત્ર છે અને આ સંઘર્ષનો ભાગ નથી, તેઓ તેમાંથી પસાર થવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે, ભવિષ્યમાં ભારતીય જહાજોની અવરજવર ચાલુ રહેશે.
આ અરાજકતા માટે અમેરિકા અને ઇઝરાયલ જવાબદારઃ ઈરાન
ડૉ. ઇલાહીએ વૈશ્વિક ઉર્જા બજારમાં અરાજકતા માટે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સને સીધા દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, આ યુદ્ધ વર્તમાન કટોકટી અને તમામ સંઘર્ષોનું મૂળ છે. તેમના મતે જો ઇરાન પર હુમલા બંધ કરવામાં આવે તો આ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે, હુમલાખોરોએ ઇરાનમાં મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ કરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ઇરાન પોતાનો બચાવ કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને ઇરાન વિરુદ્ધ દમાસ્કસ સ્ટ્રેટનો ઉપયોગ કરનારા કોઈપણ દેશને રોકવાનો અધિકાર અનામત રાખે છે.




