Get News Alerts

Never miss breaking news updates.

પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિચારસરણી બદલાઈ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

Rajnath Singh India Transformation: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષ ભારત માટે સૌથી પરિવર્તનકારી સમયગાળો સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર વિકાસના નવા આયામો જ સ્થાપ્યા નથી, પરંતુ દેશની વિચારસરણીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવના કારણે વિશ્વનું ભારત પ્રત્યેનું દૃષ્ટિકોણ પણ બદલાયું છે. નવી દિલ્હીમાં આયોજિત 'NBT ઉત્સવ 2026' કાર્યક્રમમાં સંબોધન દરમિયાન...
R Gajjar
R GajjarUpdated on: 04 Jul 2026 01:23 PM IST
પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિચારસરણી બદલાઈ: રક્ષામંત્રી રાજનાથ સિંહપીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિચારસરણી બદલાઈ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

AI Generated Images

Rajnath Singh India Transformation: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષ ભારત માટે સૌથી પરિવર્તનકારી સમયગાળો સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર વિકાસના નવા આયામો જ સ્થાપ્યા નથી, પરંતુ દેશની વિચારસરણીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવના કારણે વિશ્વનું ભારત પ્રત્યેનું દૃષ્ટિકોણ પણ બદલાયું છે. નવી દિલ્હીમાં આયોજિત 'NBT ઉત્સવ 2026' કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે એક સમય હતો જ્યારે દુનિયા સવાલ કરતી હતી કે ભારત કોઈ મોટું કામ કરી શકશે કે નહીં, પરંતુ આજે સવાલ એ પૂછાય છે કે ભારત આ કામ ક્યારે પૂર્ણ કરશે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતે નોંધાવી મોટી સફળતા
રક્ષા મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2021માં ભારત સરકારે સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી ત્યારે અનેક નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી કે ભારત સેમિકન્ડક્ટર ચિપ બનાવી શકશે નહીં. જોકે સરકાર પોતાના સંકલ્પ પર અડગ રહી અને દેશભરમાં આધુનિક સેમિકન્ડક્ટર પાર્ક ઉભા કર્યા.  તેમણે જણાવ્યું કે હવે ભારતે સફળતાપૂર્વક 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, જે આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું છે.

'મેક ઇન ઇન્ડિયા' બન્યું સફળતાનું પ્રતિક
રાજનાથ સિંહે જણાવ્યું કે 2014માં શરૂ કરાયેલી 'મેક ઇન ઇન્ડિયા' પહેલને શરૂઆતમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે આ અભિયાન ભારતની ઔદ્યોગિક પ્રગતિનું પ્રતિક બની ગયું છે. તેમણે માહિતી આપી કે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું મૂલ્ય 18 હજાર કરોડ રૂપિયાથી વધીને 5.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે મોબાઇલ નિકાસમાં 163 ગણો વધારો નોંધાયો છે.

ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ભારતની સિદ્ધિ
રક્ષા મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014માં ભારતનું ઓટોમોબાઇલ નિકાસ મૂલ્ય અંદાજે 50 હજાર કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 1.20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભારત આજે 100થી વધુ દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરી રહ્યું છે. ઉપરાંત સ્વદેશી હાઈ હોર્સપાવર લોકોમોટિવનું નિર્માણ કરીને ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઉભી કરી છે.

ડિફેન્સ પ્રોડક્શન અને નિકાસમાં ઐતિહાસિક વધારો
રાજનાથ સિંહે જણાવ્યું કે વર્ષ 2026માં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન 1.78 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સંરક્ષણ ઉત્પાદનો પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ડિફેન્સ નિકાસ પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે અને 38 હજાર કરોડ રૂપિયાથી વધુનો આંકડો પાર કરી ચૂકી છે.

આર્ટિકલ 370થી લઈને UPI સુધીની સિદ્ધિઓ
રક્ષા મંત્રીએ આર્ટિકલ 370ની નાબૂદી, મેડ ઇન ઇન્ડિયા 5G ટેક્નોલોજી અને UPI જેવી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે છેલ્લા એક દાયકાની સૌથી મોટી સફળતા માત્ર વિકાસ નથી, પરંતુ દેશની માનસિકતા અને કાર્યસંસ્કૃતિમાં આવેલો બદલાવ છે. તેમણે ઉમેર્યું કે હવે સરકાર માત્ર પ્રોજેક્ટનું શિલાન્યાસ જ નથી કરતી, પરંતુ સમયસર તેનું ઉદ્ઘાટન પણ કરે છે.

વિકાસ સાથે સંસ્કૃતિનું પણ સંરક્ષણ
રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ચેતના દેશની ઓળખનો આધાર છે. તેથી વિકાસ સાથે સાથે ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com