Get News Alerts

Never miss breaking news updates.

‘બંદિની’નું ગીત ગાતી વખતે કેમ રડી પડ્યાં આશા ભોસલે? જાણો SD બર્મન સાથે જોડાયેલો કિસ્સો

Asha Bhosle Stories: આજે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમના દરેક ગીતો એક શ્રેષ્ઠ કૃતિ છે. પરંતુ તેમની યાદમાં ફિલ્મ "બંદિની"નો એક પ્રસંગ ખાસ છે. એસ.ડી. બર્મન દ્વારા ઠપકો મળ્યા પછી તેમણે દુ:ખને અવાજમાં ઠાલવી દીધું હતું.
Admin
AdminUpdated on: 12 Apr 2026 06:12 PM IST
‘બંદિની’નું ગીત ગાતી વખતે કેમ રડી પડ્યાં આશા ભોસલે? જાણો SD બર્મન સાથે જોડાયેલો કિસ્સો‘બંદિની’નું ગીત ગાતી વખતે કેમ રડી પડ્યાં આશા ભોસલે? જાણો SD બર્મન સાથે જોડાયેલો કિસ્સો

ફાઇલ તસવીર

Asha Bhosle Stories: આજે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમના દરેક ગીતો એક શ્રેષ્ઠ કૃતિ છે. પરંતુ તેમની યાદમાં ફિલ્મ "બંદિની"નો એક પ્રસંગ ખાસ છે. એસ.ડી. બર્મન દ્વારા ઠપકો મળ્યા પછી તેમણે દુ:ખને અવાજમાં ઠાલવી દીધું હતું.

બિમલ રોયની 'બંદિની' 1963માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં નૂતન, ધર્મેન્દ્ર અને અશોક કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુલઝારે પણ આ ફિલ્મના 'મોરા ગોરા અંગ લાઈ લે' ગીતથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 'બંદિની'ના સંગીત નિર્દેશક એસડી બર્મનનું એક ગીત આશા ભોંસલેને આપ્યું હતું. જ્યારે તાઈ માઇક્રોફોન પર ગાવા આવ્યા ત્યારે તે ટેક્નિકલી એકદમ ઠીક હતી. ગીત પણ સૂરમાં હતું. પરંતુ તે સચિન બર્મનની અપેક્ષાઓ મુજબ નહોતું. જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યુ કે, ‘આશા, શું 'બાલ' તારો ભાઈ નથી? તું તેને રાખડી નથી બાંધતી?’ આ સાંભળીને આશા ભોંસલે સ્તબ્ધ થઈ ગયા. 

'બંદિની' ગીત ગાતી વખતે આશા ભોંસલેને ભાઈ યાદ આવ્યો
આશા ભોંસલે તે વખતે ભાવનાત્મક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. એક જૂની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ‘તે સમયે હું પરિણીત હતી અને મારા પરિવારથી દૂર રહેતી હતી; હું મારા ભાઈ બાલને (હૃદયનાથ મંગેશકર) એટલી યાદ કરતી હતી કે,. હું રડવા લાગી. દાદાએ તરત જ મને એક ટેક માટે તૈયાર થવા કહ્યું અને પછી મેં એક જ ટેકમાં ગીત રેકોર્ડ કર્યું.’ ફિલ્મના ગીતમાં એક સ્ત્રીની પીડા વ્યક્ત કરવામાં આવી હતી, ખૂબ જ લોકપ્રિય થયું હતું. શૈલેન્દ્રના શબ્દોથી સુંદર રીતે ગૂંથાયેલું અને પુત્રીની વેદના દર્શાવતું આ ગીત દાયકાઓ પછી પણ શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય છે. 

આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે
ગાયિકાના પાર્થિવ શરીરને સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત તેમના ઘરે દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે દાદરના શિવાજી પાર્કમાં કરવામાં આવશે, તે જ જગ્યાએ જ્યાં તેમની બહેન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

AUTHOR
Admin

Admin

Author details are not available.