અમદાવાદના SG હાઈવે પર વાહનચાલકોને મોટી રાહત



ફાઈલ ફોટો
અમદાવાદના SG હાઈવે પર વાહનચાલકોને મોટી રાહત



ફાઈલ ફોટો
અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર દૈનિક ટ્રાફિકનો સામનો કરતા લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી નિર્માણાધીન રહેલો YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ આગામી 12 જૂનથી વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવશે, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.
મળતી માહિતી મુજબ, આશરે 1.2 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર હાલ અંતિમ તબક્કાની કામગીરી હેઠળ છે. આ કોરિડોર શરૂ થતાં એસજી હાઈવે પરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણમાં મોટી મદદ મળશે અને રોજિંદા મુસાફરી કરતા અંદાજે 2 લાખથી વધુ વાહનચાલકોને સીધો લાભ મળશે.
તંત્રના જણાવ્યા અનુસાર, કોરિડોરનો મુખ્ય માર્ગ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે, જ્યારે સમગ્ર એલિવેટેડ કોરિડોરને 1 ઓગસ્ટથી સામાન્ય જનતા માટે સંપૂર્ણ રીતે ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં વાહનોની અવરજવર વધુ સરળ બનશે અને મુસાફરોનો સમય પણ બચશે.




