રોહિત ભારતના મહાન બેટ્સમેનમાંના એક, તેમની સાથે બેટિંગ કરવી ખાસ અનુભવ’: રાયન રિકલ્ટન



રોહિત ભારતના મહાન બેટ્સમેનમાંના એક, તેમની સાથે બેટિંગ કરવી ખાસ અનુભવ’: રાયન રિકલ્ટન



મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં 6 વિકેટથી જીત મેળવી. આ જીતમાં ઓપનર રાયન રિકલ્ટનએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
મેચ બાદ રિકલ્ટને રોહિત શર્મા સાથેની તેમની સદીની ભાગીદારી અંગે જણાવ્યું કે, “રોહિત ભારત અને મુંબઈ માટેના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક છે. તેમની સાથે ક્રીજ પર સમય પસાર કરવો અને ઇનિંગ્સની શરૂઆત કરવી આનંદદાયક અનુભવ છે. અમે સારો તાલમેલ બેસાડ્યો અને યોગ્ય સમયે બાઉલરો પર દબાણ બનાવ્યું.”
મોટા લક્ષ્યાંક અંગે તેમણે કહ્યું કે, “આઈપીએલમાં હવે મોટા સ્કોર ચેઝ થવું સામાન્ય બન્યું છે. જો શરૂઆત સારી મળે તો મેચનો માહોલ તૈયાર થઈ જાય છે. અમારી ટીમમાં લાંબી બેટિંગ લાઇનઅપ છે અને અમે અમારી ક્ષમતા પર વિશ્વાસ રાખીએ છીએ.”
પોતાની બેટિંગ અંગે રિકલ્ટને જણાવ્યું કે, “મારું કામ પૂર્ણ થયું એવું નથી, પરંતુ મને મારી ભૂમિકા સ્પષ્ટ છે અને ક્રીજ પર ઉતર્યા બાદ શું કરવું તે મને સારી રીતે ખબર છે.
મેચમાં એલએસજીએ નિકોલસ પૂરણના 63 રનની મદદથી 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં રોહિત શર્મા (84) અને રાયન રિકલ્ટન (83)એ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી.




