Get News Alerts

Never miss breaking news updates.

કાંતારા વિવાદઃ રણવીર સિંહ પહોંચ્યો ચામુંડેશ્વરી મંદિર, હાથ જોડીને માફી માગી

Ranveer Singh Kantara Controversy: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ લાંબા સમયથી કાંતારા વિવાદમાં ફસાયેલા છે. પરંતુ હવે તેનો અંત આવી ગયો છે. કોર્ટના આદેશ બાદ, અભિનેતાએ તાજેતરમાં મૈસુરના પ્રખ્યાત ચામુંડી હિલ્સમાં મા ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ખૂબ જ સાદગીથી પૂજા અર્ચના કરી હતી અને ખાસ પ્રાર્થના કરી હતી.
Admin
AdminUpdated on: 26 May 2026 04:34 PM IST
કાંતારા વિવાદઃ રણવીર સિંહ પહોંચ્યો ચામુંડેશ્વરી મંદિર, હાથ જોડીને માફી માગીકાંતારા વિવાદઃ રણવીર સિંહ પહોંચ્યો ચામુંડેશ્વરી મંદિર, હાથ જોડીને માફી માગી

Ranveer Singh Kantara Controversy: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ લાંબા સમયથી કાંતારા વિવાદમાં ફસાયેલા છે. પરંતુ હવે તેનો અંત આવી ગયો છે. કોર્ટના આદેશ બાદ, અભિનેતાએ તાજેતરમાં મૈસુરના પ્રખ્યાત ચામુંડી હિલ્સમાં મા ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ખૂબ જ સાદગીથી પૂજા અર્ચના કરી હતી અને ખાસ પ્રાર્થના કરી હતી.

રણવીરે મા ચામુંડેશ્વરીના દર્શન કર્યા
રણવીર સિંહ મંદિરમાં કોઈ પણ ધામધૂમ કે VIP ટ્રીટમેન્ટ વિના એક સામાન્ય ભક્ત તરીકે પહોંચ્યો હતો. તેણે ભક્તોની કતારમાં ઊભા રહીને દેવી ચામુંડેશ્વરીના દર્શન કર્યા હતા. તેણે ગર્ભગૃહ સુધી માસ્ક પહેર્યું હતું, પરંતુ પ્રવેશ કરતા પહેલાં તેણે માસ્ક ઉતારી દીધું હતું. આ ઘટનાના ફોટા સામે આવ્યા છે, જેમાં રણવીર માથું નમાવીને અને દેવી સમક્ષ હાથ જોડીને ઉભો જોવા મળી રહ્યો છે.

રણવીરે મિમિક્રી દ્વારા દેવતાનું અપમાન કરવા બદલ માફી માગી અને થોડીવાર પ્રાર્થના કરી હતી. મહંત સાથે ઉભેલા તેમના ફોટા પણ સામે આવ્યા હતા. રણવીર સિંહ સફેદ કુર્તા-પાયજામા અને કાળા નહેરુ જેકેટમાં જોવા મળે છે. તેમણે ગળામાં ફૂલોનો માળા અને કપાળ પર તિલક કર્યું છે. એક ફોટામાં ઓ મંદિરની અંદર ફ્લોર પર ધ્યાન અને પ્રાર્થના કરતા જોવા મળે છે, જ્યારે બીજા ફોટામાં તેઓ મંદિરના પૂજારી સાથે પૂજા થાળી પકડીને ઉભા જોવા મળે છે.

પૂજા પછી રણવીર થોડીવાર મંદિર પરિસરમાં બેઠો રહ્યો હતો. તેણે ગર્ભગૃહ પાસે શાંતિથી ધ્યાન કર્યું હતું અને મુખ્ય દેવતાની મૂર્તિ તેમજ ઉત્સવની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણવીર સિંહ ખાલી હાથે મંદિરમાં પહોંચ્યો હતો અને દેવીને ખાસ પ્રાર્થના કરી હતી અને તેમના આશીર્વાદ માગ્યા હતા. "દૈવ નર્તન"ને લગતા તાજેતરના વિવાદ અને વિરોધ પ્રદર્શનોને કારણે આ મુલાકાતની વ્યાપક ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાએ કોર્ટના આદેશોનું પાલન કરીને માફી માગવા માટે દેવીના દરબારમાં ગયા હતા. શાંતિથી પહોંચેલા રણવીર સિંહ દર્શન અને પૂજા પછી કોઈપણ પ્રચાર વિના રવાના થયા હતા.

કાંતારા વિવાદ શું છે?
કર્ણાટક હાઈકોર્ટે કાંતારા મિમિક્રી કેસમાં રણવીરની બિનશરતી માફી સ્વીકારી હોવાનું જાણવા મળે છે. તેમણે શનિવારે, 25 એપ્રિલના રોજ એક સોગંદનામું રજૂ કર્યું હતું. નવા સોગંદનામાના પ્રકાશમાં કોર્ટે મૌખિક રીતે કહ્યું કે કેસ હવે રદ કરી શકાય છે. કોર્ટે રણવીર સિંહને આગામી ચાર અઠવાડિયામાં મૈસુરના ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો.

ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન ફિલ્મ "કાંતારા: ચેપ્ટર 1"માં ઋષભ શેટ્ટીના પાત્રની નકલ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. રણવીર સિંહ ચામુંડેશ્વરી દેવીને "સ્ત્રી ભૂત" તરીકે ઓળખાવી હતી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.