Get News Alerts

Never miss breaking news updates.

બિહારમાં રાજકોટના વેપારીને નિશાન બનાવી 25 કરોડનું સોનું લૂંટાયું

રાજકોટના સોનાના બે વેપારીઓ બિહારમાં 25 કરોડનું સોનાની ડિલેવરી કરતા જતા લૂંટારુઓ તેમને લૂટી લીધા હતા. જ્યારે તેઓ રેલ્વે સ્ટેશનમાં ઉતર્યા ત્યારે 8 લોકોએ તેમને ઘેરી લીધા હતા. અને તેમની ઓળખ કસ્ટમ વિભાગની આપી હતી. જે બંન્ને આરોપીને કારમાં બેસાડીને અપહરણ કરી સોનાની લૂટ ચલવી હતી. આ વાતની જાણ તેમને તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે તેના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 12:16 PM IST
બિહારમાં રાજકોટના વેપારીને નિશાન બનાવી 25 કરોડનું સોનું લૂંટાયુંબિહારમાં રાજકોટના વેપારીને નિશાન બનાવી 25 કરોડનું સોનું લૂંટાયું

AI Image

બિહાર: બિહારમાં રાજકોટના સોનાના વેપારીને નિશાન બનાવી આશરે 25 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટની કે.વી. એન્ડ સન્સ પેઢીના બે કર્મચારીઓ ડિલિવરી માટે બિહાર ગયા હતા, જ્યાં તેઓ લૂંટારૂઓના નિશાન બન્યા હતા.

માહિતી અનુસાર મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા સોનાની ડિલિવરી આપવા માટે બિહાર ગયા હતા. તેઓ રેલ્વે સ્ટેશન પર ઉતરતા જ બાઈક અને કારમાં આવેલા આશરે 8 જેટલા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. લૂંટારૂઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારીઓ તરીકે આપી બંને કર્મચારીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ બંને પાસેથી મોટી માત્રામાં સોનું લૂંટી લીધું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાએ વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે, કારણ કે ડિલિવરી દરમિયાન સુરક્ષાના મુદ્દા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ બિહાર પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટમાં વપરાયેલ કાર કબજે કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.