Get News Alerts

Never miss breaking news updates.

PM મોદી નોર્વે પહોંચ્યા: ઓસ્લોમાં ભવ્ય સ્વાગત, ભારત-નોર્વે સંબંધોમાં નવી ઊર્જાની આશા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે, જ્યાં એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ચાર દાયકાથી વધુ સમય બાદ થતી આ ઉચ્ચસ્તરીય મુલાકાતને ભારત-નોર્વે સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 02:13 PM IST
PM મોદી નોર્વે પહોંચ્યા: ઓસ્લોમાં ભવ્ય સ્વાગત, ભારત-નોર્વે સંબંધોમાં નવી ઊર્જાની આશાPM મોદી નોર્વે પહોંચ્યા: ઓસ્લોમાં ભવ્ય સ્વાગત, ભારત-નોર્વે સંબંધોમાં નવી ઊર્જાની આશા

નોર્વે: ઓસ્લોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નોર્વે પહોંચતાં જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સ્વયં હાજર રહી તેમને આવકાર્યા હતા. આ મુલાકાતને ભારત-નોર્વે સંબંધોમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે લાંબા સમય બાદ ભારતના વડાપ્રધાન સ્તરની આ મુલાકાત બંને દેશોની મિત્રતાને નવી ઊર્જા આપશે.

આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી નોર્વેના રાજા હેરાલ્ડ પંચમ અને રાણી સોન્યા સાથે મુલાકાત કરશે તેમજ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. સાથે જ તેઓ ભારત-નોર્ડિક સમિટમાં પણ સામેલ થશે.

ભારત અને નોર્વે વચ્ચે વેપાર, રોકાણ અને ગ્રીન એનર્જી સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે. આ મુલાકાતને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવતી ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.