Get News Alerts

Never miss breaking news updates.

13મી નવેમ્બરે ખતમ થઈ જશે દુનિયા, બાબા વેંગા નહીં આ વૈજ્ઞાનિકની ચોંકાવનારી ભવિષ્યવાણી

November 13 2026 Prediction: દુનિયાના અંત કે પ્રલયને લઈને કેટલીય ધાર્મિક અને અંધશ્રદ્ધાભરી ભવિષ્યવાણી સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, આજથી અંદાજે 66 વર્ષ પહેલાં એક જાણીતા વૈજ્ઞાનિકે ગાણિતિક સૂત્રોને આધારે દુનિયાના અંતની તારીખ જાહેર કરી હતી. અમેરિકી ભૌતિકશાસ્ત્રી હેંજ વોન ફોર્સ્ટરના રિસર્ચ પ્રમાણે, 13 નવેમ્બર 2026 એ દિવસ હોઈ શકે છે કે, જ્યારે માનવ સભ્યતાનો અંત થઈ જશે.
Admin
AdminUpdated on: 17 May 2026 04:36 PM IST
13મી નવેમ્બરે ખતમ થઈ જશે દુનિયા, બાબા વેંગા નહીં આ વૈજ્ઞાનિકની ચોંકાવનારી ભવિષ્યવાણી13મી નવેમ્બરે ખતમ થઈ જશે દુનિયા, બાબા વેંગા નહીં આ વૈજ્ઞાનિકની ચોંકાવનારી ભવિષ્યવાણી

November 13 2026 Prediction: દુનિયાના અંત કે પ્રલયને લઈને કેટલીય ધાર્મિક અને અંધશ્રદ્ધાભરી ભવિષ્યવાણી સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, આજથી અંદાજે 66 વર્ષ પહેલાં એક જાણીતા વૈજ્ઞાનિકે ગાણિતિક સૂત્રોને આધારે દુનિયાના અંતની તારીખ જાહેર કરી હતી. અમેરિકી ભૌતિકશાસ્ત્રી હેંજ વોન ફોર્સ્ટરના રિસર્ચ પ્રમાણે, 13 નવેમ્બર 2026 એ દિવસ હોઈ શકે છે કે, જ્યારે માનવ સભ્યતાનો અંત થઈ જશે.

ખ્યાતનામ સાયન્સ જર્નલમાં રિપોર્ટ છપાયો
હેંજ વોન ફોર્સ્ટરે તેમની ટીમ સાથે મળીને વૈશ્વિક આબાદી પર એક ગાઢ રિસર્ચ કર્યું હતું. તેમની આ ડરામણી અને ચોંકાવનારો અભ્યાસ વર્ષ 1960માં દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત જર્નલ ‘સાયન્સ’માં પ્રકાશિત થઈ હતી. આ કોઈ કાલ્પનિક કહાણી નથી પરંતુ સંપૂર્ણ રીતે આંકડાઓ અને વૈજ્ઞાનિક ગણનાઓ પર આધારિત હતી.

શું છે પ્રલયનું વૈજ્ઞાનિક ગણિત?
વોન ફોર્સ્ટરે દુનિયાની જનસંખ્યા વધવાની ઝડપનો બારીકાઈપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે, માણસોની આબાદી સામાન્ય ગતિ સાથે નહીં, પરંતુ ઘાતક ગતિ સાથે વધી રહી છે. 20મી સદીમાં આધુનિક ચિકિત્સા, વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને અનાજના રેકોર્ડ ઉત્પાદનના કારણે મૃત્યુદર ઓછો થયો હતો અને આબાદી વિસ્ફોટક રીતે વધતી જતી હતી.

ફોર્સ્ટરે જનસંખ્યા વૃદ્ધિની પેટર્ન સમજવા માટે એક ખાસ ગાણિતિક સમીકરણ તૈયાર કર્યું. આ ફોર્મુલાના આધારે તેમણે ગણના કરી હતી કે, જો જનસંખ્યા આ અનિયંત્રિત ઝડપથી વધશે તો 13 નવેમ્બર, 2026ના દિવસે ચરમ બિંદુએ પહોંચશે અને પૃથ્વી સંભાળી નહીં શકે.

રિસોર્સ પૂરા થવાથી તબાહી આવશે
વૈજ્ઞાનિક ફોર્સ્ટરે ચેતવણી આપી હતી કે, જ્યારે પૃથ્વીની આબાદીને સહન કરવાની ક્ષમતા પૂરી થઈ જશે, તો સંશાધનોનો મહાસંકટ આવશે. દુનિયામાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને સ્વચ્છ પાણી સંપૂર્ણ રીતે પૂર્ણ થવાને આરે આવી જશે. રહેવાની જગ્યા અને સંશાધનો જપ્ત કરવા માટે માણસો વચ્ચે ભયાનક પરમાણુ યુદ્ધ થઈ શકે છે. ભૂખમરો, દુષ્કાળ અને નવી મહામારીઓ માનવ સભ્યતાને ગળી જશે. ફોર્સ્ટરે આ સ્થિતિન ડૂમ્સડે એટલે કે કયામતનો દિવસ ગણાવ્યો છે.

આજના યુગમાં કેટલી સાચી છે આ થિયરી
જો કે, હાલના આધુનિક વૈજ્ઞાનિક આ ભવિષ્યવાણીને સંપૂર્ણ સાચી નથી માનતા. હાલના આંકડા પ્રમાણે, દુનિયા લોકો મરી તો રહ્યા છે. પરંતુ હાલના દશકોમાં કેટલાક દેશોમાં જન્મદરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં હેંજ વોન ફોર્સ્ટરની આ થિયરી આજે પણ અમને સાવચેત કરે છે. જો આપણે સમય રહેતાં પર્યાવરણ અને સીમિત પ્રાકૃતિક સંશાધનોને બેલેન્સ ન કર્યા તો માણસની સભ્યતા ખતરામાં આવી શકે છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.