Get News Alerts

Never miss breaking news updates.

સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજકોટમાં નાગરિક સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. પ્રગતિ પ્લાઝા ખાતે નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું, જેના કારણે હવે શહેર અને આસપાસના લોકોને આધાર સંબંધિત સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 12:41 PM IST
સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટનસાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજકોટ : શહેરના પ્રગતિ પ્લાઝા ખાતે નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ Parshottam Rupalaના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું આધાર સેવા કેન્દ્ર શરૂ થતાં હવે નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે વધુ સુવિધા મળશે.

આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે આજના સમયમાં આધાર કાર્ડ રોજબરોજના જીવનમાં અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. નવા આધાર કાર્ડ બનાવાવવા, નામ-સરનામું સુધારવા તેમજ અન્ય અપડેટ માટે આ કેન્દ્ર લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

સાંસદ પરસોતમ રૂપાલાએ આધાર કેન્દ્રના કર્મચારીઓને પણ ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોના કામ સમયસર અને ધીરજપૂર્વક કરવા જોઈએ જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કેન્દ્ર શરૂ થતાં હવે રાજકોટ શહેર અને આસપાસના લોકોને આધાર સંબંધિત સેવાઓ માટે સરળતા રહેશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.