Get News Alerts

Never miss breaking news updates.

પહેલગામના શહીદોને દેશનું નમન: PM મોદીથી અમિત શાહ સુધી નેતાઓની શ્રદ્ધાંજલિ આપી

પહેલગામ આંતકી હુમલાની પહેલી વરસી પર આજે પીએમ નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો. હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયુ હતુ. પરંતુ ભારત આવા આંતકવાદી હુમલાથી દેશ આંતકવાદી સામે કદી ઝૂકશે નહી. અને તે લોકોના પરિવારના સભ્યોના મોત થયા હતા. આ આંતકવાદી હુમલામાં તે પરિવારને સંવેદના વ્યક્ત કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ તેના કારણે રાષ્ટ્રીય કતાનો સંદેશ આપ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 12:38 PM IST
પહેલગામના શહીદોને દેશનું નમન: PM મોદીથી અમિત શાહ સુધી નેતાઓની શ્રદ્ધાંજલિ આપીપહેલગામના શહીદોને દેશનું નમન: PM મોદીથી અમિત શાહ સુધી નેતાઓની શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાની આજે પહેલી વરસી નિમિત્તે દેશભરમાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેમાં મોટા ભાગે પ્રવાસીઓ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીડિતોને યાદ કરતાં કહ્યું કે ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં. તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે દેશ આ ઘાવ ક્યારેય ભૂલશે નહીં અને આતંકવાદ સામે મક્કમ જવાબ આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ પીડિતોને યાદ કરીને જણાવ્યું કે આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે અને તેના સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ ચાલુ રહેશે.

ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આ હુમલામાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાએ દેશને ઝંઝોળી નાખ્યો હતો.

 દેશભરમાં આજે પીડિતોને યાદ કરીને આતંકવાદ સામે એકતા અને સંકલ્પનો સંદેશ આપવામાં આવ્યો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.