Get News Alerts

Never miss breaking news updates.

8 મે બાદ ગુજરાતમાં આગ જેવી ગરમી : અંબાલાલ પટેલની ચેતવણી

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સખત વધતુ જાય છે. તેના લીધી અંબાલાલા પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે કે 8 મે બાદ ગુજરાતમાં ગરમીનું જોર વધશે. મધ્ય ગુજરાતમાં હાલ તાપમાન 42 ડિગ્રીની આસપાસ છે. પરંતુ ગરમી વધવાની શક્યા છે આવનારા દિવસોમાં તાપમાન 45-46 ડિગ્રી સધી પહોંચી શખે છે. તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ 26 મેથી 12 જૂન વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદી સક્રિય બનવાની શક્યતાઓ પણ રહેલી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 11:57 AM IST
8 મે બાદ ગુજરાતમાં આગ જેવી ગરમી : અંબાલાલ પટેલની ચેતવણી8 મે બાદ ગુજરાતમાં આગ જેવી ગરમી : અંબાલાલ પટેલની ચેતવણી

ફાઈલ ફોટો

ગુજરાતમાં ગરમીનો કહેર, 8 મે બાદ “આખરી ગરમી”નો એલર્ટ – કાળી આંધી અને પ્રી-મોન્સૂન વરસાદની આગાહી

અમદાવાદ: પ્રસિદ્ધ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ ગરમીમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ 8 મે બાદ તાપમાનમાં ભારે ઉછાળો આવી “આખરી ગરમી”નો પ્રકોપ જોવા મળી શકે છે.

મધ્ય ગુજરાતમાં હાલ થોડી રાહત:
અમદાવાદ, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં હાલ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જેમાં થોડો ઘટાડો નોંધાશે. ગાંધીનગરમાં પણ આંશિક રાહત મળી શકે છે.

ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સ્થિતિ:
સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે, જેમાં થોડી રાહત જોવા મળશે. મહીસાગર અને ભરૂચમાં પણ તાપમાન 40-41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિશ્ર પરિસ્થિતિ:
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગરમી વચ્ચે થોડો વિરામ મળશે, જ્યારે જામનગરમાં તાપમાન 36-37 ડિગ્રી આસપાસ રહી શકે છે. જૂનાગઢમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છમાં પણ 40 ડિગ્રી આસપાસ ગરમી રહેશે.

8 મે બાદ વધશે તાપમાનનો ત્રાસ:
હવામાન નિષ્ણાંત મુજબ 8 મે પછી મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાન 45-46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં “આગ વરસે” તેવી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાન 42-43 ડિગ્રી સુધી જઈ શકે છે.

કાળી આંધી અને પ્રી-મોન્સૂન એલર્ટ:
11 થી 20 મે દરમિયાન રાજ્યમાં આંધી-વંટોળની ગતિ વધવાની શક્યતા છે અને “કાળી આંધી”નો ખતરો પણ વ્યક્ત થયો છે.
તે ઉપરાંત 26 મે થી 12 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ સક્રિય બનવાની શક્યતા છે.

ચેતવણી:
ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને જનતા, ખાસ કરીને મજૂરો, ફેરિયાઓ અને માલધારીઓને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.