પચપદરા રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં આગ: એક યુનિટમાં લાગેલી આગથી દોડધામ, 20 ફાયર ફાઈટરોએ સંભાળી સ્થિતિ



પચપદરા રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં આગ: એક યુનિટમાં લાગેલી આગથી દોડધામ, 20 ફાયર ફાઈટરોએ સંભાળી સ્થિતિ



રાજસ્થાન રાજસ્થાનના પચપદરા ખાતે આવેલી રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં જ આગ લાગવાની ઘટના સામે આવી છે. રિફાઈનરીના એક યુનિટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા સ્થળ પર હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી અને આશરે 20 જેટલા ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આગ એક ચોક્કસ પ્રોસેસિંગ યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન 21 એપ્રિલ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હતું. ઉદ્ઘાટન પહેલાં જ આવી ઘટના બનતા તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે.
આ રિફાઈનરીનું સંચાલન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને સોંપવામાં આવ્યું છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.




